શોધખોળ કરો

Gandhinagar: પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ બનશે ખાસ, હજારો કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહુર્ત

Gandhinagar: પીએમ મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે,

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

વડાપ્રધાન મોદી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 

પીએમ મોદી આગામી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લા ખાતેથી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹112 કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને ₹644 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. 

નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે. 


Gandhinagar: પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ બનશે ખાસ, હજારો કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહુર્ત

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ છે, અને ગામના ખેડૂતોને સિંચાઇ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે. 

પીએમ મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને  ₹626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે. 

NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં ₹768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા – પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને ₹256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે. આ સાથે જ ₹626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. 

આ ઉપરાંત 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ₹1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે. 

આ પણ વાંચો....

Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro  અને New iMac, Appleએ આપ્યા સંકેત
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro અને New iMac, Appleએ આપ્યા સંકેત
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછMaharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp AsmitaDANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro  અને New iMac, Appleએ આપ્યા સંકેત
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro અને New iMac, Appleએ આપ્યા સંકેત
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Diwali 2024: ભારતમાં એવી જગ્યાઓ છે જ્યાં ઉજવવામાં આવતી નથી દિવાળી, કારણ જાણી ચોંકી જશો
Diwali 2024: ભારતમાં એવી જગ્યાઓ છે જ્યાં ઉજવવામાં આવતી નથી દિવાળી, કારણ જાણી ચોંકી જશો
US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત
US Presidential Election: અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, એડવાન્સ વોટિંગમાં 2.8 કરોડ લોકોએ આપ્યો મત
Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ
Cyclone Dana Live Updates: દાના ચક્રવાતની ગતિમાં આવ્યો ઘટાડો, કોલકાતા અને ભુવનેશ્વર એરપોર્ટ પરથી હવાઈ સેવા શરૂ
Embed widget