![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahemdabad NEWS: PI જાટની હેરાનગતિના કારણે મને હવે સુસાઇડના આવે છે વિચાર, PSIએ પત્રમાં ઠાલવી વ્યથા
અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI પર ગંભીર આરોપ લાગ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ આરોપો અન્ય કોઇએ નહિ પરંતુ તેમના જ સ્ટાફના પોલીસ સ્ટેશનના જ બે PSIએ લગાવ્યાં છે.
![Ahemdabad NEWS: PI જાટની હેરાનગતિના કારણે મને હવે સુસાઇડના આવે છે વિચાર, PSIએ પત્રમાં ઠાલવી વ્યથા Serious charge against PI of Ahmedabad's Nikol police station Two PSI of the police station have made a serious charge Ahemdabad NEWS: PI જાટની હેરાનગતિના કારણે મને હવે સુસાઇડના આવે છે વિચાર, PSIએ પત્રમાં ઠાલવી વ્યથા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/984900f9076d388ef77aa507f7e140ef171549911450681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahemdabad NEWS:અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના PI સામે તેનાજ પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદો ઉઠી છે. નિકોલના જ પીએસઆઇએ માનકિસ ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકતા સમગ્ર પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે, નિકોલ પોલીસ સ્ટેશનમાં હાલ કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ તરીકે કામ કરતા જયંતિ શિયાળે કેપી જાટ સામે ગૃહ વિભાગમાં ફરીયાદ કરી છે. પીએસઆઇએ ગૃહ વિભાગમાં એક લાંબો પત્ર લખીને સમગ્ર માનસિક ત્રાસદીની વ્યથા રજૂ કરી છે.
PSI પીએસઆઇ જયંતિભાઇ શિયાળે PI દ્રારા કરવામાં આપતા ત્રાસની ફરિયાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને કરી છે. તેમણે પત્ર દ્રારા વ્યથા રજૂ કરતા કહ્યું છે કે, તેઓ પીઆઇ કે.ડી.જાટના ત્રાસથી કંટાળીને રાજીનામું આપવા માંગે છે. એટલે સુધી કે તેમણે પીઆઇના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. પીએસઆઇ શિયાળના પત્ર બાદ પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહ વિભાગમાં આ પત્ર પહોંચ્યા બાદ અધિકારીઓ તપાસ માટે દોડતા થયા છે. ગૃહ વિભાગ સુધી આ ફરિયાદ પહોંચતા આખરે આ મામલે પીઆઇ કે.ડી. જાટ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ આ પીએસઆઇ કે.પી. જા સામે અનેક ફરિયાદો થઇ ચૂકી છે. આ પહેલા પીએસઆઇ રાજેશ યાદવે પણ પીઆઇ જાટ સામે ફરિયાદ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)