શોધખોળ કરો

Teachers’ Day 2024 Live Updates: આજે શિક્ષક દિવસે રાજ્યના 28 શિક્ષકોનું થશે સન્માન, રાજ્યપાલના હસ્તે અપાશે રોકડ પુરસ્કાર

Teachers’ Day 2024 Live Updates: આ પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે.

LIVE

Key Events
Teachers’ Day 2024 Live Updates: આજે શિક્ષક દિવસે રાજ્યના 28 શિક્ષકોનું થશે સન્માન, રાજ્યપાલના હસ્તે અપાશે રોકડ પુરસ્કાર

Background

Teachers’ Day 2024 Live Updates:  ગુજરાતમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત આજે 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્ય પુરસ્કાર આપવામા આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત રહેશે.

આ પુરસ્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલશ્રી હસ્તે. 51 હજાર રૂપિયાનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

11:43 AM (IST)  •  05 Sep 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો

શિક્ષક દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્કૂલ ઓફ એચિવર્સનાં બાળકો પહોંચ્યાં હતાં. મુખ્યમંત્રીએ પણ શિક્ષક દિવસના અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

11:43 AM (IST)  •  05 Sep 2024

ગિરિજા શંકર ઉપાધ્યાય ઉત્તમ કામગીરી કરી રહ્યા છે

સુરતમાં છેલ્લા ૨૧ વર્ષથી શિક્ષણ જગતમાં કાર્યરત ગિરિજા શંકર ઉપાધ્યાય ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. તેઓ શાળા છોડી દેનારા ગરીબ અને કામદારોના બાળકોને મફતમાં શિક્ષણ આપી રહ્યા છે. ૨૧ વર્ષમાં ૫૦૦૦ બાળકોને મફતમાં શિક્ષણ ભવિષ્ય ઉજ્જવળ કર્યું છે.

10:19 AM (IST)  •  05 Sep 2024

તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે

આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે. શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા હતા. દિવ્યાંગ બાળકીએ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી મે આ નોકરીનો સ્વીકાર કર્યો હતો. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.

09:42 AM (IST)  •  05 Sep 2024

અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોને રાજ્ય કક્ષાએ અપાશે એવોર્ડ

શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દૃષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અમદાવાદ જિલ્લાના બે શિક્ષકોનું રાજ્ય કક્ષાએ, ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાએ અને બે શિક્ષકોને તાલુકા કક્ષાએ ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરાશે. અમદાવાદ જિલ્લા કક્ષાનો શિક્ષક સન્માન સમારંભ ડીપીએસ સ્કૂલ, બોપાલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલાની અધ્યક્ષતામાં યોજાનાર છે.

09:36 AM (IST)  •  05 Sep 2024

આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ

આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની પણ નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમણે હાઇસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ વિકસિત કર્યો છે. શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમણે ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા હતા

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ?Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?BJP Membership Drive | હવે મહેસાણામાં ભાજપ સદસ્યતા અભિયાનનો વિવાદ, હોસ્પિટલના સ્ટાફ સામે લાગ્યો આરોપNavsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Andhra Pradesh: 'તિરુમાલાના પ્રસાદમાં પશુઓની ચરબી', CM ચંદ્રબાબુ નાયડુના આરોપો બાદ હંગામો
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Sahara Refund: સહારામાં રોકાણ કરીને ફસાયેલા લોકો માટે આવ્યા ગૂડ ન્યૂઝ, રિફંડને લઈને સરકારે લીધો મોટો નિર્ણય
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Lebanon Radio Blast: લેબનોનમાં ફરી સિરિયલ ધડાકા, પેજર બાદ હવે વોકી ટોકીમાં બ્લાસ્ટ, 3ના મોત અનેક ઘાયલ
Monkeypox:  દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Monkeypox: દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો, આ રાજ્યમાં દુબઈથી આવેલો વ્યક્તિ પોઝિટિવ
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Blood Group:  વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
Blood Group: વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું નવું બ્લડ ગ્રુપ, જાણો ભવિષ્યમાં તેનાથી શું ફાયદા થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Rajput Samaj: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માંગ સાથે રાજપૂત સમાજનું મહાસંમેલન
Embed widget