શોધખોળ કરો

હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે નહીં? શું છે નવો વળાંક?

અમદાવાદઃ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી પર આજે ચુકાદો આવી શકે છે. તમામની નજર હાઈકોર્ટના ચુકાદા પર રહેલી છે. હાર્દિકે લોકસભાની ચૂંટણી લડવા મહેસાણા કોર્ટે આપેલી સજા પર સ્ટે મેળવવા અરજી કરી હતી. આ અરજી સામે મંગળવારે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી આ સજા સામે સ્ટે ન આપવા માગ કરી હતી. ત્યારે જસ્ટિસ એ. જી. ઉરેજીએ રાજ્ય સરકારને બુધવારે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. હાર્દિકે તેની સામેના કેસની સજા પર સ્ટે મેળવવા હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મુદ્દત માગતા સરકારે મંગળવારે સવારે વધુ એક વખત મુદ્દત માંગતા હાર્દિકના વકીલે તેનો વિરોધ કર્યો હતો. હાર્દિક સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાર્દિક પટેલે કરેલી અરજી ફગાવતા સમયે આ અગાઉ કોર્ટે કરેલા અવલોકનોને પણ સરકારે કોર્ટના રેકોર્ડ પર મુક્યા છે. હાર્દિકના કન્વિક્શન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી. આ તમામ મુદ્દે વિસ્તૃત રજૂઆતો માટે રાજ્ય સરકારે કોર્ટમાં સમયની માંગણી કરી જેનો હાર્દિક પટેલના વકીલે વિરોધ કર્યો અને રજૂઆત કરી કે, ૪ એપ્રીલ સુધીમાં ઉમેદવારી પત્રક ભરવાના હોવાથી આ કેસની ઘણી અર્જન્સી છે. આ કેસમાં હાઇકોર્ટનો જે પણ નિર્ણય હોય તેની સામે બંનેમાંથી એક પક્ષે સુપ્રીમમાં જવું જ પડશે તેવી સ્થિતિ પણ છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકારને છેલ્લી તક આપતાં કેસની સુનાવણી 27 માર્ચના રોજ નિયત કરી છે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગરની કોર્ટે કરેલી સજા સામે હાર્દિકે હાઈકોર્ટમાં અપીલ કરી છેઅને સાથે જ પોતાને દોષિત જાહેર કરવાના નિર્ણય પર સ્ટેની માંગ કરી છે. ત્યારે 27 માર્ચના રોજ આ મુદ્દે થનારી સુનાવણી મહત્વની બની શકે છે.જો હાર્દિકને હાઈકોર્ટમાંથી રાહત ના મળે તો તેવા સંજોગોમાં આ લોકસભા ચૂંટણી લડવી હાર્દિક માટે મુશ્કેલ બની શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget