શોધખોળ કરો

ભાવનગરથી મથુરા જતી બસનો રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, 11ના મોત, અનેક ઘાયલ

Bharatpur Accident: મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા જવા માટે જઈ રહી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે.

Bharatpur Accident News: રાજસ્થાનના ભરતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે NH 21 પર સ્થિત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હંત્રા પુલ પર આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા જવા માટે જઈ રહી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો અને ઘાયલો ભાવનગરના રહેવાસી છે. તમને જણાવી દઈએ કે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે કોઈ અજાણ્યા વાહને પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતાં લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

જયપુર-આગ્રા નેશનલ હાઈવેના હંતારા પુલ પર બસ ખોટકાઈ હતી. લખનપુર વિસ્તારમાં અંતરા ફ્લાયઓવર પર ડ્રાઈવરે બસને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બસને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે જ પાંચ પુરૂષો અને છ મહિલાઓના મોત થયા હતા.

પોલીસ કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં અંતુ, નંદરામ, લલ્લુ, ભરત, લાલજી, તેમના પત્ની મધુબેન, અંબાબેન, કમ્બુબેન, રામુબેન, અંજુબેન અને અરવિંદની પત્ની મધુબેનનું મોત થયું હતું. તે ભાવનગરના રહેવાસી હતા.

આ અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો ભાવનગરના રહેવાસી છે. અકસ્માતની માહિતી મળતાં લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

આ અકસ્માતની પુષ્ટિ કરતા એસપી ભરતપુર મૃદુલ કાછવાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માત ભારતના જયપુર-આગ્રા હાઈવે પર હંતારા પાસે થયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ગુજરાતના ભાવનગરથી યુપીના મથુરા જઈ રહ્યા હતા. ઘાયલોની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget