![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bhavnagar: ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહ અને તેના સાળાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર
યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
![Bhavnagar: ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહ અને તેના સાળાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર Bhavnagar: The court granted remand of Yuvraj Singh and his brother-in-law for two more days Bhavnagar: ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહ અને તેના સાળાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/22/aaa486e8780fa92e836e81e3a98d10f61682156171318397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગરઃ ડમીકાંડના તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં ડમીકાંડ બાદના તોડકાંડમાં યુવરાજસિંહના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તો તેના સાળા કાનભા ગોહિલને પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં.
જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે યુવરાજસિંહ અને તેના સાળાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
તે સિવાય યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડની તપાસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે યુવરાજસિંહ તોડકાંડની રકમમાંથી મિલકત ખરીદવાના હતા. ગાંધીનગરમાં દહેગામમાં યુવરાજ સિંહ પોતાના નામે મિલકત ખરીદવા માંગતા હતા. પ્રોપર્ટી ખરીદવા માટે યુવરાજસિંહ જાડેજાએ સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા. 12 એપ્રિલના રોજ યુવરાજસિંહે સ્ટેમ્પ પેપર ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ભાવનગર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.
યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ
ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
Bhavnagar News: ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત
ભાવનગરઃ ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.
તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો.
Dummy scam: ડમીકાંડ મામલે વધુ 5 આરોપી જેલ હવાલે, યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ
Dummy scam: ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)