શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરના મહેમાન બન્યા પંજાબ સીએમ ભગવંત માન, અમૃતસરમાં થયેલી હિંસા જાણો શું આપ્યું નિવેદન

CM Bhagwat Maan press conference: ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના સી.એમ ભગવત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં થઈ રહેલ હિંસાને લઈ આપ્યું મોટું નિવેદન આપ્યું છે.

CM Bhagwat Maan press conference: ભાવનગરની મુલાકાતે આવેલા પંજાબના સી.એમ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પંજાબમાં થઈ રહેલ હિંસાને લઈ આપ્યું મોટું નિવેદન આપ્યું છે, તેમણે અમૃતપાલની ઉપર કટાક્ષ કરીને કહ્યું કે જે હિંસા કરે છે તે પંજાબના વારીશ ન હોય શકે, માત્ર મુઠી ભર લોકો દ્વારા હિંસા ભડકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકોને વિદેશીમાંથી ફન્ડીગ થઈ રહ્યું છે. પંજાબના સી.એમ દ્વારા આ નિવેદનને લઈ રાજકીય માહોલ ફરી એક વખત ગરમાંયો છે.

 

ભાવનગરના આંગણે આજે માન્ધાતા ગ્રુપ દ્વારા 201 સર્વ સમહુ લગ્નનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ હાજર રહ્યાં હતા. આ સમૂહ લગ્નનો કાર્યક્રમ આપના જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી દ્વારા યોજવામાં આવ્યો હતો. અહીં પંજાબના મુખ્યમંત્રી એ પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. મુખ્યપ્રધાને પત્રકાર પરિષદમાં ખાલીસ્તાનીઓની શરૂ થયેલી ચળવળના મામલે કહ્યું હતું કે ધરણા કે પ્રદર્શન કરવાની સૌને છૂટ છે પરંતુ તેની આડમાં હિંસા થાય તે ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે પોલીસ મથક ઉપર હુમલો કરવાની ઘટનાની સૌ નિંદા કરા રહ્યા છે અને આવા તોફાન કરનાર પંજાબી હોઈ શકે નહીં.

પંજાબમાં ખાલીસ્તાનીઓ અલગ શીખ રાજ્યની માંગ થઈ રહી છે જેને લઇ વારંવાર હિંસાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે પંજાબમાં શાંતિ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને લઈ આજે ભાવનગર ખાતે આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના સીએમ ભગવત માને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટા નિવેદનો આપ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે પંજાબના લોકો કાયમી શાંતિ ઇચ્છી રહ્યા છે. આ સાથે જ પંજાબની સરકાર પણ કોઈપણ પ્રકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે નહીં તે માટે કટિબદ્ધ છે.

ભાવનગર ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ભગવંત માન ખુલ્લી જીપમાં સમારોહ સ્થળે આવ્યા હતા. અહીં સમૂહ લગ્નમાં તાજેતરમાં 501 દીકરીઓ સમુહ લગ્ન કરાવનાર સુરેશ લાખાણી ખાસ હાજર રહ્યા હતા અને ભગવંત માનએ તેમને પણ શુભેચ્છા પાઠવી હતી. ભગવંત માન અને મહાનુભાવો તેમજ સંતો મહનતોએ નવ દંપત્તિને મંડપમાં જઈને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget