શોધખોળ કરો

BHAVNAGAR : સરકારી અનાજન સગેવગે કરવાનું કૌભાંડ યથાવત, પાલીતાણામાંથી મોટી માત્રામાં પકડાયું સરકારી અનાજ

Bhavnagar News : પુરવઠા વિભાગ અને મામલતદારની ટીમે દરોડા પાડી સમગ્ર અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.


Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી અનાજનાં કૌભાંડનો સિલસિલો હજી પણ યથાવત છે.  પાલીતાણા GIDCમાંથી સરકારી ઘઉં અને ચોખાનો બિન અધિકૃત જથ્થો મળી આવ્યો છે. ડાયમંડ માર્બલ ગોડાઉનની આડમાં સરકારી અનાજનું કૌભાંડ ચાલી રહ્યું હતું. પુરવઠા વિભાગ અને મામલતદારની ટીમે દરોડા પાડી સમગ્ર અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 

 સરકારની ઉચ્ચ એજન્સી દ્વારા ભાવનગરમાં અનાજનાં કૌભાંડ અંગે તપાસ કરવામાં આવે તો અનેક અનાજ માફિયાઓ અને સરકારી અધિકારીનાં પગ નીચે રેલો આવે તેમ છે, રાજ્ય સરકારના જિલ્લા ગોડાઉનમાં જ કોઇ પ્રકારની સીસીટીવી કે સિક્યુરિટી ગાર્ડની સુવિધા જ નથી.સરકારી અનાજનું ગોડાઉન રામભરોસે છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં પુરવઠા વિભાગ અને મામલતદાર દ્વારા પાલીતાણા GIDCમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 14000 કિલો ઘઉં અને ચોખા તેમજ એક આઈસર મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ સિઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ પાલીતાણા રોડ પરથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ વખતે ડાયમંડ માર્બલ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો છે. એક તરફ ગરીબ પરિવારોને સસ્તા અનાજની દુકાન પરથી પૂરતું અનાજ મળી રહ્યું નથી, અનાજ માફિયાઓ બેફામ બનીને સરકારી અનાજ સગેવગે કરીને બારોબાર વેચવાનું કાળો કારોબાર ચલાવી રહ્યા છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી અનાજ પકડાવાનાં બનાવ સામાન્ય થઈ ગયા છે એક પછી એક બનાવો સામે આવે છે જેમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અનાજ માફિયાઓ પાસે સરકારી અનાજ પહોંચી કેવી રીતે રહ્યું છે? 

ભાવનગર શહેરમાં આવેલ રાજ્ય સરકારના સીટી ગોડાઉન મારફત ભાવનગર જિલ્લાના તમામ સસ્તા અનાજની દુકાન પર સરકારી અનાજ પહોંચાડવાની જવાબદારી હોય છે જેની નોંધ પણ કરવામાં આવતી હોય છે, જોકે એક વાત એ પણ સામે આવી છે કે સરકારી જિલ્લાનું જે ગોડાઉન છે તેમાં કોઇ પ્રકારની સેફટી જોવા મળી રહી નથી. ગોડાઉન રામભરોસે ચાલી રહ્યું છે.  એક પણ સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ છે નહીં જેના કારણે અનેક ગેરકાયદેસર કામ થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી. 

અનાજ કૌભાંડમાં સરકારની ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ તેમજ અનેક મોટા માથાના નામો સામે આવે તેમ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Embed widget