શોધખોળ કરો

Salman Khurshid News: ખુર્શીદે ISIS અને બોકો હરામ સાથે હિન્દુત્વની કરી તુલના, નકલીથી માંડીને કપિલ મિશ્રા સુધી, જાણો કોણે શું કહ્યું

Salman Khurshid News:સલમાન ખુર્શીદએ કહ્યું કે, હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મની અવગણના કરી રહ્યાં છે. તેનું વલણ આઇએસઆઇએસ અને બોકો હરમ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનો જેવું છે.

Salman Khurshid News:સલમાન ખુર્શીદએ કહ્યું કે, હિન્દુત્વ સાધુ સંતોના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મની અવગણના કરી રહ્યાં છે. તેનું વલણ આઇએસઆઇએસ અને બોકો હરમ જેવા જેહાદી ઇસ્લામી સંગઠનો જેવું છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ એક વખત ફરી વિવાદમાં ઘેરાયા છે. વિવાદ સલમાન ખુર્શીદના પુસ્તક “સનરાઇઝ ઓવર અયોઘ્યાને” લઇને છે. સલમાન ખર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠનો ISIS અને બોકો હરામ સાથે કરી છે અને હિંદુત્વની રાજનીતિને ખતરનાક ગણાવી છે. હવે સલમાન ખર્શીદ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિવેક ગર્ગ નામના વકીલે દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી છે. ખુર્શીદના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી નકવીએ શું કહ્યું?

ભાજપે સલમાન ખુર્શીદ સામે મોરચો ખોલ્યો છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આવી કોંગ્રેસની પાઠશાળા જ આવી  છે. આવી મૂર્ખ વાતોનો કોઈ અર્થ નથી.

અમિત માલવિયએ શું કહ્યું?

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ સલમાન ખુર્શીદ પર નિશાન સાધ્યું છે. માલવિયાએ ટ્વીટર પર લખ્યું, "જે વ્યક્તિની પાર્ટીએ ભગવા આતંકવાદ શબ્દને માત્ર ઈસ્લામિક જેહાદ સાથે સરખાવીને મુસ્લિમ મતો મેળવવા માટે તેની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકીએ?"

કપિલ મિશ્રાએ શું કહયું?

બીજેપી નેતા કપિલ મિશ્રાએ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે, "હું સલમાન ખુર્શીદને પૂછવા માંગુ છું કે તમે લોકો તમે બધા હામિદ અંસારી છો એવું કેમ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. શું આખી દુનિયામાં હિંદુઓ કમરે બોમ્બ બાંધીને મારી રહ્યા છે? ભારતમાં હિંદુઓની બહુમતી છે. જ્યાં બહુમતી ઘટી, ત્યાં પણ એવું જ થવા લાગ્યું. સલમાન ખુર્શીદ જેવા લોકોને જેમને હિન્દુ બહુમતી રાષ્ટ્રમાં આટલું માન-સન્માન મળ્યું છે, તેમ છતાં પણ તેમના મનમાં આ પ્રકારનું ઝેર છે. ઇસ્લામિક આતંકવાદને છુપાવવાનો આ એક નિર્લજ્જ પ્રયાસ છે."

વિવાદ બાદ ખુરશીદે શું કહ્યું?

એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં ખુર્શીદે કહ્યું, "મેં પુસ્તકમાં રામ મંદિરના નિર્ણયનું સમર્થન કર્યું છે, તેનાથી હિંદુ-મુસ્લિમ એકતાને પ્રોત્સાહન મળશે." બોકો હરામ સાથે હિંદુત્વની સરખામણી કરવા પર તેણે કહ્યું, "બોકો હરામ શા માટે? તમે ખરાબ કહો છો? મને જે ગમ્યું તે મેં કહ્યું. મારા આખા પુસ્તકમાં 300 પાનામાં મેં સારી વાતો કહી, પણ એક જગ્યાએ મને જે ખરાબ લાગ્યું તે લખ્યું.” તેણે કહ્યું, “પહેલા તમારો ધર્મ સમજો. સનાતન ધર્મને સમજો. ગાંધીજીએ બતાવેલ માર્ગ પર ચાલો.

સલમાન ખુર્શીદના પુસ્તકના વિમોચન સમયે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા. "હિંદુત્વને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે અને રાજનીતિ કરે છે, તેઓ કહે છે કે હિન્દુત્વ ખતરામાં છે.

હિન્દુત્વને હિન્દુત્વ સાથે કોઈ લેવાદેવા નથીઃ દિગ્વિજય સિં

સલમાન ખુર્શીદના પુસ્તકના વિમોચન સમયે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ પણ હાજર રહ્યા હતા. "હિંદુત્વને હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે અને રાજનીતિ કરે છે, તેઓ કહે છે કે હિન્દુત્વ ખતરામાં છે.

સલમાન ખુર્શીદે પુસ્તકમાં શું લખ્યું?

પુસ્તકમાં ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે હિંદુત્વની તુલના કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે હિંદુત્વ સનાતન અને સંતોના પ્રાચીન હિંદુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે દરેક રીતે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઈસ્લામિક સંગઠનોની જેમ છે. જ્યારે સલમાનને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, "હિંદુ ધર્મ ખૂબ જ ઉચ્ચ કક્ષાનો ધર્મ છે. આ માટે ગાંધીજીએ જે આપ્યું તેનાથી મોટી કોઈ પ્રેરણા ન હોઈ શકે. જો કોઈ નવું લેબલ લગાવે તો હું કેમ માનું? કોઈપણ હિંદુ હું તમે ધર્મનું અપમાન કરશો તો પણ બોલીશ. મેં કહ્યું કે જેઓ હિંદુત્વની રાજનીતિ કરે છે તે ખોટા છે અને ISIS પણ ખોટું છે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
NIAમાં કરવા માંગો છો નોકરી, બસ કરવું પડશે આ કામ, મળશે દોઢ લાખથી પણ વધુ પગાર
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Embed widget