શોધખોળ કરો

Himachal Bridge Landslide: ચંબાના ભરમૌરમાં વધુ એક પુલ ધરાશાયી, વાહનોની અવરજવર ઠપ્પ, લૂણામાં ફસાયા લોકો

Himachal pradesh: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પહાડમાં આવેલી તિરાડના કારણે એક પુલ તૂટી પડ્યો છે. પુલ તૂટી જવાને કારણે આ વિસ્તારનો આખી દુનિયાથી સંપર્ક કપાઈ ગયો છે.

Himachal Bridge Landslide: દેશના વિવિધ રાજ્યોમાંથી ભૂસ્ખલનની ઘટનાઓએ વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. એક તરફ જોશીમઠમાં દુર્ઘટનામાં જાનહાનિ થઈ છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાંથી ભૂસ્ખલનના સમાચાર આવવા તે ભયજનક છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પહાડીમાં તિરાડના કારણે એક પુલ તૂટી પડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા બે દિવસમાં ચંબામાં આ બીજો પુલ તૂટી ગયો છે. અગાઉ ટ્રક ઓવરલોડના કારણે ભરમૌરમાં પુલ પણ તૂટી પડ્યો હતો.

ચંબાના ભરમૌરમાં વધુ એક પુલ ધરાશાયી

4 ફેબ્રુઆરીએ શનિવારે મોડી રાત્રે રાવી નદીને અડીને આવેલા ચિરચિંદ નાળા પર બનેલો આ પુલ (નેશનલ હાઈવે-154A) સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. આ પુલ ચંબાના આદિવાસી વિસ્તાર ભરમૌરમાં બનાવવામાં આવ્યો હતો જે ચંબા અને ભરમૌરને પઠાણકોટ સાથે જોડતો હતો. ખડકોમાં તિરાડ પડ્યા બાદ આ પુલ પર એક મોટી ખડક તૂટી પડી હતી જેના કારણે પુલ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે હવે આ વિસ્તારનો આખી દુનિયાથી સંપર્ક કપાઈ ગયો છે.

પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો

મળતી માહિતી મુજબ શનિવારે પહાડમાં તિરાડ પડવાને કારણે આ પુલ પર પથ્થરો પડ્યા હતા અને પુલ તૂટી ગયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને ભરમૌરથી લુણા અને લુણાથી ભરમૌર જતા લોકો અટવાઈ પડ્યા છે. ઉલલખનીય છે કે ચંબા જિલ્લામાં બે દિવસમાં પુલ ધરાશાયી થવાની આ બીજી ઘટના છે. અગાઉ ભરમૌરમાં એક પુલ પણ તૂટી ગયો હતો. જો કે ઓવરલોડ ટ્રકોના કારણે તે પુલ તૂટી ગયો હતો. આ અકસ્માતમાં બે ટ્રક ગટરમાં પડી હતી અને એક કાર પુલ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

પુલ ધરાશાયી થવા પાછળ કોણ જવાબદાર? 

પૂલ તૂટી પડવા માટે વહીવટીતંત્રે કુથેડ હાઈડ્રો પ્રોજેક્ટના નિર્માણ સાથે સંકળાયેલી કંપનીને જવાબદાર ગણાવી છે. કારણ કે આ કંપનીના ભારે વાહનો આ પુલ પરથી પસાર થતા હતા. હવે કંપનીને જ બ્રિજ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે કંપનીને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બીજી તરફ સાર્વજનિક બાંધકામ વિભાગે કુથેડ હાઇડ્રો પ્રોજેક્ટના બાંધકામ સાથે સંકળાયેલી કંપની સામે એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય લીધો છે. હવે પુલ તૂટી પડવાના કેસની ન્યાયિક તપાસ થશે. આ સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એસડીએમ ભરમૌરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget