શોધખોળ કરો

8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો

8th pay commission news: જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારશે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું (DA) ને સીધું મૂળ પગારમાં મર્જ કરવાની માંગ કરી.
  • વધતી મોંઘવારીને કારણે DA અલગ રાખવાનો કોઈ અર્થ નથી, એમ સંગઠનો માને છે.
  • DA મૂળ પગારમાં ભળવાથી HRA, પેન્શન, ગ્રેચ્યુઇટી અને PF માં વધારો થશે.
  • હાલમાં DA મોંઘવારીથી બચાવવા અલગથી ચૂકવાય છે, જે બદલવાની માંગ છે.

8th pay commission news: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 8માં પગાર પંચની રચનાને લઈને હાલમાં ચર્ચાઓ તો ચાલી જ રહી છે, પરંતુ આ બધા વચ્ચે કર્મચારી સંગઠનોએ સરકાર સામે એક એવી મોટી માંગ મૂકી દીધી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે ઈચ્છી રહ્યા છે કે તેમને મળતું મોંઘવારી ભથ્થું એટલે કે DA (Dearness Allowance) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગાર (મૂળ પગાર) માં મર્જ કરી દેવામાં આવે. 8માં પગાર પંચના અમલને હજુ થોડો સમય બાકી છે, ત્યારે કર્મચારીઓની આ માંગે સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી દીધો છે.

કર્મચારીઓ કેમ કરી રહ્યા છે આ માંગ?

ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) સહિતના ઘણા મોટા કર્મચારી સંગઠનોએ 8માં પગાર પંચ માટે ચાલી રહેલી વાતચીત દરમિયાન આ મહત્વની માંગ ઉઠાવી છે. સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે અને જીવન જરૂરિયાતનો ખર્ચ વધ્યો છે, તેને જોતા મોંઘવારી ભથ્થાને અલગ રાખવાનો કોઈ અર્થ નથી. તેને નવા સુધારેલા પગાર માળખામાં જ ઉમેરી દેવું જોઈએ. સરળ ભાષામાં કહીએ તો, હવે સમય આવી ગયો છે કે DA ને બેઝિક પગારનો જ હિસ્સો બનાવી દેવામાં આવે.

પગારમાં કેવી રીતે થશે મોટો ફાયદો?

આ માંગણી પાછળનું ગણિત બહુ સીધું અને કર્મચારીઓના ફાયદાનું છે. જો સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવાની આ માંગ માની લે છે, તો લાખો કર્મચારીઓના ખિસ્સામાં આવતી રકમમાં મોટો વધારો થશે. જ્યારે બેઝિક પગાર વધશે, ત્યારે તેની ગણતરી પર આધારિત અન્ય તમામ ભથ્થાં (જેમ કે HRA વગેરે) પણ આપોઆપ વધી જશે. આનાથી કર્મચારીઓના હાથમાં આવતો પગાર (ઈન-હેન્ડ સેલેરી), તેમનું પેન્શન, ગ્રેચ્યુઈટી અને પ્રોવિડન્ટ ફંડ (PF) જેવા રિટાયરમેન્ટ પછીના લાભોમાં જોરદાર ઉછાળો જોવા મળશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટર વધશે? કરોડો કર્મચારીઓની આશાઓ વધી, જુઓ અપડેટ

શું છે હાલની સિસ્ટમ અને મોંઘવારી ભથ્થું?

તમને જણાવી દઈએ કે, મોંઘવારી ભથ્થું (DA) એ સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને બજારમાં વધતી મોંઘવારીની અસરથી બચાવવા માટે અપાતી એક વધારાની રકમ છે. હાલના નિયમ મુજબ, દેશના ફુગાવાના (મોંઘવારીના) આંકડાઓને આધારે વર્ષમાં બે વાર (સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં) DA માં વધારો કરવામાં આવે છે. અત્યારની સિસ્ટમમાં કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પગાર કરતા એકદમ અલગ હિસ્સા તરીકે ચૂકવાય છે. પરંતુ, હવે કર્મચારીઓ આ જૂની પ્રથા બદલવા માંગે છે અને તેને બેઝિક પગારમાં કાયમી ધોરણે ભેળવી દેવાની જોરદાર માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ

Frequently Asked Questions

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા કઈ મોટી માંગ મૂકવામાં આવી રહી છે?

કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે મોંઘવારી ભથ્થું (DA) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગારમાં મર્જ કરી દેવામાં આવે.

મોંઘવારી ભથ્થાને બેઝિક પગારમાં મર્જ કરવાની માંગ પાછળનું કારણ શું છે?

વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાતનો ખર્ચ જોતાં, કર્મચારીઓ માને છે કે DA ને અલગ રાખવાનો કોઈ અર્થ નથી અને તેને બેઝિક પગારનો જ હિસ્સો બનાવવો જોઈએ.

જો DA ને બેઝિક પગારમાં મર્જ કરવામાં આવે તો કર્મચારીઓને શું ફાયદો થશે?

બેઝિક પગાર વધવાથી HRA જેવા અન્ય ભથ્થાં પણ વધશે, જેનાથી હાથમાં આવતો પગાર, પેન્શન, ગ્રેચ્યુઈટી અને PF જેવા લાભોમાં વધારો થશે.

હાલમાં મોંઘવારી ભથ્થું (DA) કેવી રીતે આપવામાં આવે છે?

DA એ મોંઘવારીની અસરથી બચાવવા માટે આપવામાં આવતી વધારાની રકમ છે, જે ફુગાવાના આંકડા મુજબ વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) બેઝિક પગારથી અલગ ચૂકવાય છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે? જાણો રોકાણની મહત્તમ મર્યાદા
પોસ્ટ ઓફિસમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે? જાણો રોકાણની મહત્તમ મર્યાદા
8મું પગાર પંચ: MACP નિયમો બદલાશે? 3 નહીં પણ 5 વખત પગાર વધશે? જાણો શું છે પ્લાન
8મું પગાર પંચ: MACP નિયમો બદલાશે? 3 નહીં પણ 5 વખત પગાર વધશે? જાણો શું છે પ્લાન
Post Office Schemes: દીકરીને ₹72 લાખ અને વૃદ્ધોને નિયમિત પેન્શન, પોસ્ટ ઓફિસની આ 2 સ્કીમ છે બેસ્ટ!
Post Office Schemes: દીકરીને ₹72 લાખ અને વૃદ્ધોને નિયમિત પેન્શન, પોસ્ટ ઓફિસની આ 2 સ્કીમ છે બેસ્ટ!
14 સપ્ટેમ્બરે શેરબજાર ખુલશે કે બંધ રહેશે? રોકાણકારો માટે NSE-BSE નું મોટું અપડેટ
14 સપ્ટેમ્બરે શેરબજાર ખુલશે કે બંધ રહેશે? રોકાણકારો માટે NSE-BSE નું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ભારતે રચ્યો ઇતિહાસ: શ્રીલંકાને 72 રને કચડી રેકોર્ડ 8મી વાર જીત્યો મહિલા એશિયા કપ
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
અભિષેક શર્માનું તોફાન: 256 ની સ્ટ્રાઈક રેટથી 82 રન, ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 29 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 12માં રેડ તો 17માં ઓરેન્જ એલર્ટ જાહેર
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
આવતીકાલે આભ ફાટશે! ગુજરાત સહિત 23 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું નવું એલર્ટ
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
Video: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં BCCI ની ઐતિહાસિક પહેલ: રાષ્ટ્રગીત પહેલાં ગવાયું 'વંદે માતરમ'
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
અમદાવાદમાં અનરાધાર વરસાદ: નરોડા અને કુબેરનગર અંડરપાસમાં પાણી ભરાયા, કયા રસ્તાઓ થયા બંધ?
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Ganesh Chaturthi: ગણેશ સ્થાપનામાં 2 સોપારી કેમ મૂકવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
Embed widget