શોધખોળ કરો

Changes from 1 November: આજથી બદલાશે આ 8 નિયમો, તમારા ખિસ્સાથી લઈને સ્વાસ્થ્ય પર પડશે અસર

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આજથી એટલે કે 1 નવેમ્બરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

Changes from 1 November: આજથી નવેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને વર્ષનો આ 11મો મહિનો તમારા જીવનમાં ઘણા ફેરફારો સાથે શરૂ થશે. આર્થિક પાસાઓથી લઈને સામાન્ય જીવન સુધી, કેટલાક નિયમો છે જે આજથી બદલાશે અને તમારે તેના વિશે જાણવાની જરૂર છે. આમાં, પીએમ કિસાન સન્માન નિધિના નિયમોથી લઈને કાર સીટ બેલ્ટ અને AIIMS OPDમાં ફ્રી સ્લિપ સુધી, એવા નિયમો છે જે તમારા ખિસ્સા અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આ ફેરફારો થયા છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આજથી એટલે કે 1 નવેમ્બરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત હવે લાભાર્થી ખેડૂતોએ PM કિસાન પોર્ટલ પર પોતાનું સ્ટેટસ ચેક કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ આપવો પડશે. અગાઉ તે ખેડૂતો આધાર નંબર દ્વારા પોતાનું સ્ટેટસ ચેક કરી શકતા હતા, પરંતુ આજથી આવું નહીં થાય.

AIIMS OPDમાં ફ્રી સ્લિપ

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની OPDમાં હવે સ્લિપ કટ કરાવવા માટે પૈસા ખર્ચવા નહીં પડે. આવતીકાલે, 1 નવેમ્બરથી, AIIMSમાં સ્લિપ કાપવા માટે લેવામાં આવતી 10 રૂપિયાની ફી માફ કરવામાં આવી છે. તેનાથી દેશના લાખો દર્દીઓને ફાયદો થશે. તે જ સમયે, સુવિધા ફીના નામે વસૂલવામાં આવતા 300 રૂપિયા પણ માફ કરવામાં આવ્યા છે.

GST રિટર્ન માટે કોડ ફરજિયાત રહેશે

1 નવેમ્બરથી જીએસટીના નિયમોમાં પણ ફેરફાર થશે અને આજથી 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ પણ રિટર્ન ફાઇલ કરતી વખતે 4 અંકનો HSN કોડ આપવો પડશે. પહેલા આ કોડ 2 નંબરનો હતો પરંતુ હવે તે 4 અંકનો હશે.

તમામ વીમા માટે KYC ફરજિયાત

અત્યાર સુધી માત્ર જીવન વીમા પૉલિસી માટે જ KYC કરવું જરૂરી હતું પરંતુ હવે સ્વાસ્થ્ય અથવા સામાન્ય વીમા જેવી બિન-જીવન વીમા પૉલિસી માટે પણ KYC કરાવવું જરૂરી બનશે. 1 નવેમ્બરથી, સામાન્ય અને આરોગ્ય વીમા માટે તમારું KYC પૂર્ણ થશે, તો જ દાવાની પ્રક્રિયા પૂર્ણ થશે, અન્યથા જરૂર પડ્યે પણ દાવો રદ થઈ શકે છે. અત્યાર સુધી 1 લાખ રૂપિયાથી વધુના વીમા માટે KYC કરાવવું જરૂરી હતું પરંતુ હવે તે બધા માટે ફરજિયાત કરવામાં આવશે.

એલપીજીના ભાવમાં ઘટાડો

દર મહિનાની 1લી તારીખે સામાન્ય રીતે એલપીજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે અને તેમાં ઘટાડો અથવા વધારો કરવામાં આવે છે. આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતાં ઘટાડો કરવામાં આવ્યો છે જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેનનું ટાઈમ ટેબલ બદલાશે

અગાઉ, ટ્રેનોનું નવું સમયપત્રક 1 ઓક્ટોબરથી લાગુ થવાનું હતું, પરંતુ હવે આવતીકાલે 1 નવેમ્બરથી તેનો અમલ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, 1 નવેમ્બરથી સુપરફાસ્ટ અને રાજધાની ટ્રેનો સહિત ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર જોવા મળી શકે છે, તેથી જો તમે આવતીકાલે અથવા તેના પછી ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો સમય તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળો.

દિલ્હીમાં વીજળી સબસિડીમાં ફેરફાર થશે

જો તમે દિલ્હીમાં રહો છો અને આજે વીજળી સબસિડી માટે નોંધણી કરાવી શક્યા નથી, તો તમે આવતીકાલ 1લી નવેમ્બરથી વીજળી બિલ પર સબસિડીનો લાભ લઈ શકશો નહીં. દિલ્હી સરકારે પહેલાથી જ સૂચના આપી હતી કે 1 નવેમ્બરથી ફક્ત તે લોકોને જ વીજળી બિલમાં છૂટ મળશે જેમણે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

મુંબઈમાં પાછળની સીટ પર સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે

આજથી મુંબઈના રસ્તાઓ પર ચાલતા ફોર વ્હીલરની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનશે. 1 નવેમ્બર પછી, મુંબઈના રસ્તાઓ પર ફોર વ્હીલરમાં મુસાફરી કરતા તમામ ડ્રાઇવરો અને મુસાફરો માટે સીટ બેલ્ટ ફરજિયાત બનશે. જાણકારી માટે અહીં જણાવવામાં આવી રહ્યું છે કે મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) એક્ટની કલમ 194 (b) (1) હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget