શોધખોળ કરો

Currency Note : રૂ. 2000ની નોટ બદલવા માટે શું-શું કરવું? SBIએ આપી જાણકારી

આરબીઆઈએ બેંકોને રૂ. 2000ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી.

Exchange of Rs 2000 Notes : ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્ણય બાદ તમારે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવા બેંકમાં જવું પડશે. નોટ બદલવા માટે આરબીઆઈએ બેંકોને રોકડ જમા નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. મંગળવાર, 23 મેથી, બેંકો 2,000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરવાનું શરૂ કરશે. આ માટે બેંકોએ તૈયારીઓ કરી લીધી છે. જ્યારે એવું માનવામાં આવે છે કે, 2016 ની જેમ આ વખતે પણ બેંકોની બહાર નોટો બદલવા અથવા જમા કરવા માટે ભીડ એકઠી થશે નહીં. આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને બેંકો દ્વારા નોટો બદલવા સંબંધિત પરિપત્ર જારી કરવામાં આવી રહી છે.

શું કોઈ ફોર્મ ભરવું પડશે?

આરબીઆઈએ બેંકોને રૂ. 2000ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી, તેને ભર્યા બાદ જ 2000ની નોટ બદલાશે. બેંકોને આરબીઆઈ તરફથી આવી કોઈ સૂચના મળી નથી, જેમાં લોકોએ નોટ બદલતા પહેલા કોઈપણ ફોર્મ અથવા કોઈપણ સ્લિપ ભરવાની અથવા તેમનું કોઈપણ ઓળખ કાર્ડ આપવું પડશે. એસબીઆઈએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે લોકોએ 20000 રૂપિયા સુધીની નોટ બદલવા માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં.

કયા આઈડી પ્રૂફ આપવાના રહેશે?

આરબીઆઈએ આ અંગે કોઈ સૂચના જારી કરી નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, 2000ની નોટ બદલવા માટે લોકોએ કોઈ ઓળખ પત્ર આપવાની જરૂર રહેશે નહીં. જો કે, આવા ફોર્મ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોએ 2000 રૂપિયાની નોટ બદલવા માટે આઈડી બતાવવી પડશે. બેંકોનું કહેવું છે કે, ઘણા ઓછા લોકો છે જેમની પાસે બે હજાર રૂપિયાની નોટ છે. એટલા માટે તેમને આશા છે કે, તેઓ સરળતાથી નોટો બદલી શકશે અને જમા કરાવી શકશે. SBIએ સર્ક્યુલર જારી કરીને કહ્યું છે કે, તમારે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં. તમે બેંકમાં જઈને સરળતાથી નોટો જમા કરાવી શકશો.

2000 ની નોટ કેવી રીતે બદલવી?

નોટો બદલવા માટે તમે તમારી નજીકની બેંક શાખામાં પહોંચો. તમે ત્યાં જઈને સરળતાથી નોટ બદલી શકો છો. જો તમારું એ જ બેંકમાં ખાતું છે, તો તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો છો. 20 હજાર સુધી કોઈ સ્લિપ કે ફોર્મ ભરવાનું રહેશે નહીં. કોઈ આઈડી બતાવવાનું નથી. KYC ધોરણોને અનુસરીને નોટો સરળતાથી બદલી શકાશે.

નોટ એક્સચેન્જ મર્યાદા શું છે?

RBIએ એક દિવસમાં 2000 રૂપિયાની 10 નોટ બદલવાની મંજૂરી આપી છે. અને બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. તમારી પાસે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. એક દિવસમાં 20000 રૂપિયા બદલી શકાય છે. બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી, પરંતુ બેંકિંગ નિયમોનું પાલન કરવું પડશે.

ક્યાં સુધી નોટો બદલી શકાશે?

તમે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકો છો. આ પછી પણ જો તમે નોટ બદલવામાં અસમર્થ છો એટલે કે, 30 સપ્ટેમ્બરની ડેડલાઈન ચૂકી જશો તો તમારે RBI ઓફિસમાં જઈને નોટ બદલવી પડશે.

જેમની પાસે ખાતું નથી તેઓએ શું કરવું જોઈએ?

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે જેમની પાસે બેંક ખાતું નથી તેઓ પણ તેમની નજીકની શાખામાં જઈને 20,000 રૂપિયાની નોટ સરળતાથી મેળવી શકે છે. 2000ની નોટની સમકક્ષ કિંમતની નાની નોટો બદલીને પરત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્કેટ રિસ્કથી છો પરેશાન? LIC લાવ્યું ગજબની સ્કીમ, હવે તમને મળશે ગેરંટી સાથે રિટર્ન, જાણો 
માર્કેટ રિસ્કથી છો પરેશાન? LIC લાવ્યું ગજબની સ્કીમ, હવે તમને મળશે ગેરંટી સાથે રિટર્ન, જાણો 
EPFO: PF ના પૈસા UPI દ્વારા તાત્કાલિક ઉપાડી શકાશે,  ટેસ્ટિંગ પૂર્ણ, જાણો પ્રોસેસ 
EPFO: PF ના પૈસા UPI દ્વારા તાત્કાલિક ઉપાડી શકાશે,  ટેસ્ટિંગ પૂર્ણ, જાણો પ્રોસેસ 
Gas Cylinder New Rules: સિલિન્ડર બુકિંગથી લઈ PNG સુધી બદલી ગયા 7 નિયમ, જાણો નવી એડવાઈઝરી 
Gas Cylinder New Rules: સિલિન્ડર બુકિંગથી લઈ PNG સુધી બદલી ગયા 7 નિયમ, જાણો નવી એડવાઈઝરી 
દુકાનદારોને મોટી રાહત, હવે નહીં રાખવું પડે Paytm-PhonePeનું અલગ બૉક્સ, NPCI લાવી રહી છે વન સાઉન્ડબૉક્સ નિયમ
દુકાનદારોને મોટી રાહત, હવે નહીં રાખવું પડે Paytm-PhonePeનું અલગ બૉક્સ, NPCI લાવી રહી છે વન સાઉન્ડબૉક્સ નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ, પોલિટિશિયન અને પ્રોહિબિશન
Hun To Bolish : હું તો બોલીશ : ખેતીના દુશ્મન કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલને કોણ બોલ્યુ અપશબ્દ?
Ahmedabad FAKE PSI: અમદાવાદમાં AI ટેક્નોલોજીની મદદથી નકલી PSI બની યુવતીઓને ઠગનાર આરોપી ઝડપાયો
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
Rajkot Rain: રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
SRH vs RCB Highlights: હૈદરાબાદે RCB ને 55 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બેંગ્લુરુ હાર બાદ પણ ટોપ પર 
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Weather update:  હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40-50kmph પવન ફૂંકાશે
Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ
Heat Wave India: વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં! ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર; તોડ્યા તમામ રેકોર્ડ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
Heavy Rain Alert: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Heavy Rain Alert: 16 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  
Thailand New Visa Rules: થાઈલેન્ડ ફરવા જતા લોકોને મોટો ઝટકો! સરકારે 60 દિવસ વિઝા ફ્રી એન્ટ્રી કરી બંધ  
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર
8th Pay Commission: 8માં પગાર પંચને લઈ સામે આવ્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી મળશે વધારોના પગાર
Embed widget