શોધખોળ કરો

Currency Note : રૂ. 2000ની નોટ બદલવા માટે શું-શું કરવું? SBIએ આપી જાણકારી

આરબીઆઈએ બેંકોને રૂ. 2000ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી.

Exchange of Rs 2000 Notes : ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્ણય બાદ તમારે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવા બેંકમાં જવું પડશે. નોટ બદલવા માટે આરબીઆઈએ બેંકોને રોકડ જમા નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. મંગળવાર, 23 મેથી, બેંકો 2,000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરવાનું શરૂ કરશે. આ માટે બેંકોએ તૈયારીઓ કરી લીધી છે. જ્યારે એવું માનવામાં આવે છે કે, 2016 ની જેમ આ વખતે પણ બેંકોની બહાર નોટો બદલવા અથવા જમા કરવા માટે ભીડ એકઠી થશે નહીં. આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને બેંકો દ્વારા નોટો બદલવા સંબંધિત પરિપત્ર જારી કરવામાં આવી રહી છે.

શું કોઈ ફોર્મ ભરવું પડશે?

આરબીઆઈએ બેંકોને રૂ. 2000ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી, તેને ભર્યા બાદ જ 2000ની નોટ બદલાશે. બેંકોને આરબીઆઈ તરફથી આવી કોઈ સૂચના મળી નથી, જેમાં લોકોએ નોટ બદલતા પહેલા કોઈપણ ફોર્મ અથવા કોઈપણ સ્લિપ ભરવાની અથવા તેમનું કોઈપણ ઓળખ કાર્ડ આપવું પડશે. એસબીઆઈએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે લોકોએ 20000 રૂપિયા સુધીની નોટ બદલવા માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં.

કયા આઈડી પ્રૂફ આપવાના રહેશે?

આરબીઆઈએ આ અંગે કોઈ સૂચના જારી કરી નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, 2000ની નોટ બદલવા માટે લોકોએ કોઈ ઓળખ પત્ર આપવાની જરૂર રહેશે નહીં. જો કે, આવા ફોર્મ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોએ 2000 રૂપિયાની નોટ બદલવા માટે આઈડી બતાવવી પડશે. બેંકોનું કહેવું છે કે, ઘણા ઓછા લોકો છે જેમની પાસે બે હજાર રૂપિયાની નોટ છે. એટલા માટે તેમને આશા છે કે, તેઓ સરળતાથી નોટો બદલી શકશે અને જમા કરાવી શકશે. SBIએ સર્ક્યુલર જારી કરીને કહ્યું છે કે, તમારે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં. તમે બેંકમાં જઈને સરળતાથી નોટો જમા કરાવી શકશો.

2000 ની નોટ કેવી રીતે બદલવી?

નોટો બદલવા માટે તમે તમારી નજીકની બેંક શાખામાં પહોંચો. તમે ત્યાં જઈને સરળતાથી નોટ બદલી શકો છો. જો તમારું એ જ બેંકમાં ખાતું છે, તો તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો છો. 20 હજાર સુધી કોઈ સ્લિપ કે ફોર્મ ભરવાનું રહેશે નહીં. કોઈ આઈડી બતાવવાનું નથી. KYC ધોરણોને અનુસરીને નોટો સરળતાથી બદલી શકાશે.

નોટ એક્સચેન્જ મર્યાદા શું છે?

RBIએ એક દિવસમાં 2000 રૂપિયાની 10 નોટ બદલવાની મંજૂરી આપી છે. અને બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. તમારી પાસે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. એક દિવસમાં 20000 રૂપિયા બદલી શકાય છે. બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી, પરંતુ બેંકિંગ નિયમોનું પાલન કરવું પડશે.

ક્યાં સુધી નોટો બદલી શકાશે?

તમે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકો છો. આ પછી પણ જો તમે નોટ બદલવામાં અસમર્થ છો એટલે કે, 30 સપ્ટેમ્બરની ડેડલાઈન ચૂકી જશો તો તમારે RBI ઓફિસમાં જઈને નોટ બદલવી પડશે.

જેમની પાસે ખાતું નથી તેઓએ શું કરવું જોઈએ?

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે જેમની પાસે બેંક ખાતું નથી તેઓ પણ તેમની નજીકની શાખામાં જઈને 20,000 રૂપિયાની નોટ સરળતાથી મેળવી શકે છે. 2000ની નોટની સમકક્ષ કિંમતની નાની નોટો બદલીને પરત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget