શોધખોળ કરો

Currency Note : રૂ. 2000ની નોટ બદલવા માટે શું-શું કરવું? SBIએ આપી જાણકારી

આરબીઆઈએ બેંકોને રૂ. 2000ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી.

Exchange of Rs 2000 Notes : ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્ણય બાદ તમારે 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવા બેંકમાં જવું પડશે. નોટ બદલવા માટે આરબીઆઈએ બેંકોને રોકડ જમા નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. મંગળવાર, 23 મેથી, બેંકો 2,000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરવાનું શરૂ કરશે. આ માટે બેંકોએ તૈયારીઓ કરી લીધી છે. જ્યારે એવું માનવામાં આવે છે કે, 2016 ની જેમ આ વખતે પણ બેંકોની બહાર નોટો બદલવા અથવા જમા કરવા માટે ભીડ એકઠી થશે નહીં. આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને બેંકો દ્વારા નોટો બદલવા સંબંધિત પરિપત્ર જારી કરવામાં આવી રહી છે.

શું કોઈ ફોર્મ ભરવું પડશે?

આરબીઆઈએ બેંકોને રૂ. 2000ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી, તેને ભર્યા બાદ જ 2000ની નોટ બદલાશે. બેંકોને આરબીઆઈ તરફથી આવી કોઈ સૂચના મળી નથી, જેમાં લોકોએ નોટ બદલતા પહેલા કોઈપણ ફોર્મ અથવા કોઈપણ સ્લિપ ભરવાની અથવા તેમનું કોઈપણ ઓળખ કાર્ડ આપવું પડશે. એસબીઆઈએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે લોકોએ 20000 રૂપિયા સુધીની નોટ બદલવા માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં.

કયા આઈડી પ્રૂફ આપવાના રહેશે?

આરબીઆઈએ આ અંગે કોઈ સૂચના જારી કરી નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, 2000ની નોટ બદલવા માટે લોકોએ કોઈ ઓળખ પત્ર આપવાની જરૂર રહેશે નહીં. જો કે, આવા ફોર્મ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોએ 2000 રૂપિયાની નોટ બદલવા માટે આઈડી બતાવવી પડશે. બેંકોનું કહેવું છે કે, ઘણા ઓછા લોકો છે જેમની પાસે બે હજાર રૂપિયાની નોટ છે. એટલા માટે તેમને આશા છે કે, તેઓ સરળતાથી નોટો બદલી શકશે અને જમા કરાવી શકશે. SBIએ સર્ક્યુલર જારી કરીને કહ્યું છે કે, તમારે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં. તમે બેંકમાં જઈને સરળતાથી નોટો જમા કરાવી શકશો.

2000 ની નોટ કેવી રીતે બદલવી?

નોટો બદલવા માટે તમે તમારી નજીકની બેંક શાખામાં પહોંચો. તમે ત્યાં જઈને સરળતાથી નોટ બદલી શકો છો. જો તમારું એ જ બેંકમાં ખાતું છે, તો તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો છો. 20 હજાર સુધી કોઈ સ્લિપ કે ફોર્મ ભરવાનું રહેશે નહીં. કોઈ આઈડી બતાવવાનું નથી. KYC ધોરણોને અનુસરીને નોટો સરળતાથી બદલી શકાશે.

નોટ એક્સચેન્જ મર્યાદા શું છે?

RBIએ એક દિવસમાં 2000 રૂપિયાની 10 નોટ બદલવાની મંજૂરી આપી છે. અને બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. તમારી પાસે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. એક દિવસમાં 20000 રૂપિયા બદલી શકાય છે. બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી, પરંતુ બેંકિંગ નિયમોનું પાલન કરવું પડશે.

ક્યાં સુધી નોટો બદલી શકાશે?

તમે 23 મે થી 30 સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકો છો. આ પછી પણ જો તમે નોટ બદલવામાં અસમર્થ છો એટલે કે, 30 સપ્ટેમ્બરની ડેડલાઈન ચૂકી જશો તો તમારે RBI ઓફિસમાં જઈને નોટ બદલવી પડશે.

જેમની પાસે ખાતું નથી તેઓએ શું કરવું જોઈએ?

આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે જેમની પાસે બેંક ખાતું નથી તેઓ પણ તેમની નજીકની શાખામાં જઈને 20,000 રૂપિયાની નોટ સરળતાથી મેળવી શકે છે. 2000ની નોટની સમકક્ષ કિંમતની નાની નોટો બદલીને પરત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બજારમાં મંદી દરમિયાન કેવી રીતે કરવું રોકાણ? SIP અને Lump Sum વચ્ચે યોગ્ય પસંદગી શું? જાણો વિગતે
બજારમાં મંદી દરમિયાન કેવી રીતે કરવું રોકાણ? SIP અને Lump Sum વચ્ચે યોગ્ય પસંદગી શું? જાણો વિગતે
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
પોસ્ટ ઓફિસમાં ₹2,00,000 જમા કરો અને ₹89,990 વ્યાજ મેળવો! જાણો આ ગેરંટીડ સ્કીમની વિગત
પોસ્ટ ઓફિસમાં ₹2,00,000 જમા કરો અને ₹89,990 વ્યાજ મેળવો! જાણો આ ગેરંટીડ સ્કીમની વિગત
PFમાં જમા રકમ પર આ વર્ષે કેટલું મળશે વ્યાજ ? ઇન ઓપરેટિવ અકાઉન્ટ પર મહત્વનો નિર્ણય
PFમાં જમા રકમ પર આ વર્ષે કેટલું મળશે વ્યાજ ? ઇન ઓપરેટિવ અકાઉન્ટ પર મહત્વનો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget