શોધખોળ કરો

Post Office Scheme: ₹2,00,000 ના બની જશે ₹2,89,990! પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે સુપરહિટ

બેંકોના વ્યાજદર ઘટ્યા પણ પોસ્ટ ઓફિસમાં હજુય મળે છે 7.5% વ્યાજ: Time Deposit સ્કીમમાં રોકાણ સુરક્ષિત અને ફાયદાકારક.

જો તમે તમારા પૈસા સુરક્ષિત જગ્યાએ રોકવા માંગતા હો અને સાથે સારું વળતર પણ ઈચ્છતા હો, તો પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ (Post Office Savings Scheme) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલમાં જ RBI એ રેપો રેટમાં ઘટાડો કરતા બેંકોએ FD ના વ્યાજદરમાં કાપ મૂક્યો છે, પરંતુ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) સ્કીમમાં હજુ પણ તગડું વળતર મળી રહ્યું છે. અહીં ₹2,00,000 નું રોકાણ કરીને તમે મેચ્યોરિટી પર ₹89,990 સુધીનું વ્યાજ મેળવી શકો છો.

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં કુલ 1.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર સામાન્ય માણસની બચત પર પડી છે, કારણ કે દેશની તમામ મોટી બેંકોએ પોતાની ફિક્સ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરો ઘટાડી દીધા છે. જોકે, નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ ઓફિસની યોજનાઓ આર્થિક ઉતાર-ચઢાવ વચ્ચે પણ ગ્રાહકોને સ્થિર અને ઊંચું વળતર આપી રહી છે.

કોણ નક્કી કરે છે વ્યાજદર? 

ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે પોસ્ટ ઓફિસના વ્યાજદરો RBI ના રેપો રેટ સાથે સીધા સંકળાયેલા નથી. આ દરો નક્કી કરવાની સત્તા નાણા મંત્રાલય (Finance Ministry) પાસે છે. સરકાર દર ત્રણ મહિને આ દરોની સમીક્ષા કરે છે અને જરૂર જણાય તો તેમાં ફેરફાર કરે છે. પોસ્ટ ઓફિસમાં જમા કરેલા નાણાં પર ભારત સરકારની સવરિન ગેરંટી (Sovereign Guarantee) મળે છે, એટલે કે તમારા પૈસા ડૂબવાનું જોખમ શૂન્ય છે.

Time Deposit (TD) સ્કીમમાં કેટલું વ્યાજ મળે છે? 

તમે પોસ્ટ ઓફિસમાં બેંકની FD ની જેમ જ Time Deposit (TD) ખાતું ખોલાવી શકો છો. હાલમાં સરકાર આ સ્કીમ પર ખૂબ જ આકર્ષક વ્યાજ આપી રહી છે:

1 Year: 6.9% વ્યાજ

2 Years: 7.0% વ્યાજ

3 Years: 7.1% વ્યાજ

5 Years: 7.5% વ્યાજ (સૌથી વધુ)

₹2,00,000 ના રોકાણનું ગણિત

જો તમે 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ₹2,00,000 નું રોકાણ કરો છો, તો 7.5% ના વ્યાજદરે ગણતરી કરીએ તો મેચ્યોરિટી સમયે તમને જોરદાર ફાયદો થશે.

મૂડી રોકાણ: ₹2,00,000

સમયગાળો: 5 વર્ષ

વ્યાજની રકમ: ₹89,990 (અંદાજિત)

કુલ મળતી રકમ: ₹2,89,990

આમ, તમને ફક્ત વ્યાજ પેટે જ લગભગ 90 હજાર રૂપિયા મળી જશે. હાલમાં ભાગ્યે જ કોઈ બેંક સામાન્ય નાગરિકોને 5 વર્ષની FD પર 7.5% વ્યાજ આપી રહી છે.

અહીં એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે બેંકોમાં વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) ને સામાન્ય ગ્રાહકો કરતા 0.50% વધુ વ્યાજ મળે છે, જ્યારે પોસ્ટ ઓફિસની TD સ્કીમમાં તમામ ઉંમરના લોકો માટે વ્યાજદર સમાન રહે છે. તેથી રોકાણ કરતા પહેલા તમારી ઉંમર અને જરૂરિયાત મુજબ ગણતરી કરવી હિતાવહ છે. જોકે, સુરક્ષા અને વળતરની દ્રષ્ટિએ પોસ્ટ ઓફિસ આજે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget