![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાગેડુ હિરા વેપારી મેહુલ ચોકસીની ડોમિનિકામાં ધરપકડ, એન્ટીગુઆથી ત્રણ દિવસથી ગુમ હતો
ડોમિનિકા કેરેબિયન દરિયામાં આવેલ નાનકડો ટાપુ છે. છેલ્લાં ઘણાં દિવસથી મેહુલ ચોકસી એન્ટિગા અને બર્બુડા ટાપુ પરથી ગુમ થયાના અહેવાલ હતા.
![ભાગેડુ હિરા વેપારી મેહુલ ચોકસીની ડોમિનિકામાં ધરપકડ, એન્ટીગુઆથી ત્રણ દિવસથી ગુમ હતો fugitive diamantaire mehul choksi is in custody of cid in dominica ભાગેડુ હિરા વેપારી મેહુલ ચોકસીની ડોમિનિકામાં ધરપકડ, એન્ટીગુઆથી ત્રણ દિવસથી ગુમ હતો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/28094623/Mehul-Choksi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ડોમિનિકાઃ પંજાબ નેશનલ બંકને 13500 કરોડોનું ફુલેકુ ફેરવનાર મહા કૌભાંડી અને વોન્ટેડ એવા હિરા વેપારી મેહુલ ચોકસીની કેરેબિયન વિસ્તારમાં આવેલ ડોમિનિકા નામના ટાપુ પરથી ધરકડ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કર્યા બાદ હવે તેને એન્ટિગા લાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.
ભાગેડુ મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ એન્ટીગુઆથી 23 ને રવિવાર એટલે કે ત્રણ દિવસથી ફરાર થઇ ગયો હતો. તેની પાસે કેરેબિયન દેશની નાગરિકતા પણ હતી. એન્ટિગુઆ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચોક્સીને છેલ્લે રવિવારે તેની કારમાં જોયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેની કાર મળી હતી પરંતુ ચોક્સીનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મંગળવારે કહ્યું હતું કે મેહુલ ચોકસી રવિવારથી ગાયબ છે.
ડોમિનિકા કેરેબિયન દરિયામાં આવેલ નાનકડો ટાપુ છે. છેલ્લાં ઘણાં દિવસથી મેહુલ ચોકસી એન્ટિગા અને બર્બુડા ટાપુ પરથી ગુમ થયાના અહેવાલ હતા. બાદમાં એન્ટિગા પોલીસે તેને શોધવા માટે ઇન્ટરપોલની મદદ માગી હતી.
બાદમાં ઇન્ટપોલે મેહુલ ચોકસી વિરૂદ્ધ યલો કોર્નર નોટિસ બહાર પાડી હતી. જેના પગલે તે પકડાઈ ગયો છે. ભારતમાં ભાગી ગયા બાદ મેહુલ ચોકસી છેલ્લાં ઘણાં સમયથી એન્ટિગામાં રહેતો હતો.
મેહુલ ચોક્સીનાં વકીલે દાવો કર્યો છે કે તેનો અસિલ એન્ટિગુઆનો નાગરિક છે, આવી સ્થિતીમાં તેને સ્થાનિક લોકોને મળનારા તમામ અધિકાર પ્રાપ્ત છે
ચોક્સીએ જાન્યુઆરી 2018 માં ભારતથી ભાગતા પહેલા 2017માં કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી.જો કે હજું સુધી તે જાણી શકાયું નથી કે તે શા માટે ડોમિનિકા ગયો હતો.
નોંધનીય છે કે, મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને 13,500 રૂપિયાની છેતરપિંડી કરી છે, હાલમાં નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે. બંને સામે સીબીઆઈ તપાસ ચાલી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)