શોધખોળ કરો

1 ઓક્ટોબરથી આ નિયમોમાં થશે બદલાવ, જાણો તમારા પર શું થશે તેની અસર   

1 ઓક્ટોબર 2024 થી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારી વ્યક્તિગત નાણાકીય યોજનાઓ પર પડી શકે છે.

1 ઓક્ટોબર 2024 થી ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારી વ્યક્તિગત નાણાકીય યોજનાઓ પર પડી શકે છે. આ ફેરફારોમાં આધાર કાર્ડ, બોનસ શેર, નાની બચત યોજનાઓ અને અન્ય ઘણા પાસાઓ સંબંધિત નવા નિયમોનો સમાવેશ થાય છે. જો તમે આ ફેરફારો અંગે નથી જાણતા તો તમારે કેટલીક અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. આવો, જાણીએ કે આ મહત્વપૂર્ણ ફેરફારો શું છે અને તે તમારા જીવન પર શું અસર કરી શકે છે.

1. એલપીજી સિલિન્ડરની કિંમત

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 ઓક્ટોબર, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર કરી શકાય છે. આ વખતે દિવાળી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા છે.


2. ATF અને CNG-PNGના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં, તેમની નવી કિંમતો મંગળવારે સવારે જાહેર કરી શકે છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

3. આધાર કાર્ડ સંબંધિત મોટો ફેરફાર

1 ઓક્ટોબર, 2024 થી, તમે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અથવા આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા માટે આધાર નોંધણી ID નો ઉપયોગ કરી શકશો નહીં. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ, જો તમે આધાર મેળવવા માટે પાત્ર છો, તો પાન કાર્ડ અથવા આવકવેરા રિટર્ન માટે અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે.

4. બોનસ શેર માટેના નિયમોમાં ફેરફાર

સેબીએ બોનસ શેરના વેપારને વધુ સરળ બનાવવા માટે એક નવું માળખું તૈયાર કર્યું છે. 1 ઓક્ટોબર, 2024 થી બોનસ શેરનું ટ્રેડિંગ T+2 સિસ્ટમ હેઠળ થશે, જે રેકોર્ડ ડેટ અને ટ્રેડિંગ વચ્ચેનો સમય ઘટાડશે. શેરધારકોને તેનો સીધો ફાયદો થશે.

5. નાની બચત યોજનાઓ માટે નવી માર્ગદર્શિકા


નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ (NSS) હેઠળ ખોટી રીતે ખોલેલા ખાતાઓને નિયમિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ખોટી રીતે ખોલવામાં આવેલા PPF,  સુકન્યા સમૃદ્ધિ જેવા ખાતાઓને મંત્રાલય દ્વારા નિયમિત કરવામાં આવશે. આ સાથે ખાતાધારકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

6. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર, 2024 થી ઓપ્શનના વેચાણ પર STT વધીને 0.1% થશે, જે પહેલા 0.0625% હતો. આના કારણે વેપારીઓએ ખરીદ-વેચાણના વિકલ્પોમાં થોડો વધારાનો ખર્ચ ઉઠાવવો પડશે, જેની અસર ખાસ કરીને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં જોવા મળશે.

7. ભારતીય રેલવેનું વિશેષ અભિયાન

ભારતીય રેલવે 1 ઓક્ટોબર 2024થી ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરતા રોકવા અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયાને લાગુ કરવા માટે છે.

8. પોસ્ટ ઓફિસ ખાતા પર વ્યાજ દરોમાં ફેરફાર

નાની બચત યોજનાઓ હેઠળ 1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. NSS (નેશનલ સ્મોલ સેવિંગ્સ) સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા ખાતાઓના વ્યાજ દરોમાં ફેરફાર સેવિંગ્સ એકાઉન્ટ ધારકોની વ્યાજની આવકને અસર કરી શકે છે. તેથી, જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે, તો તમારે આ ફેરફારો વિશે જાણવું જોઈએ.

9. વિવાદ સે વિશ્વાસ યોજના 2024ની શરૂઆત

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ જાહેરાત કરી છે કે ‘વિવાદ સે વિશ્વાસ સ્કીમ 2024’ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ આવકવેરાના વિવાદોને ઉકેલવાનો છે, જેમાં 22 જુલાઈ, 2024 સુધીમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય અપીલ સત્તાવાળાઓ સમક્ષ પડતર કેસોનું નિરાકરણ કરવાની જોગવાઈ હશે. આ યોજના કરદાતાઓને તેમના પેન્ડિંગ વિવાદોનું સમાધાન કરવામાં મદદ કરશે.

10. HDFC ક્રેડિટ કાર્ડ લોયલ્ટી પ્રોગ્રામમાં ફેરફાર

1 ઓક્ટોબરથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, નવા નિયમ મુજબ, HDFC બેંકે SmartBuy પ્લેટફોર્મ પર Apple ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે. 

ટોપ સ્ટોરી

SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 
SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget