શોધખોળ કરો

2000 Rupee Currency Note Closure: 2000ની નોટ બંધ થતાં અર્થવ્યવસ્થા પર શું થશે અસર

Indian Economy: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, જાણીએ.

Indian Economy: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાનો  નિર્ણય લીધો છે. આ નિર્ણયની  અર્થવ્યવસ્થા પર શું અસર થશે, જાણીએ.

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, 2000 રૂપિયાની નોટ ચલણમાં પરત ખેંચી લેવામાં આવશે. તેને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે. આ નોટ 2016માં નોટબંધી બાદ રજૂ કરવામાં આવી હતી. તેને ચલણમાંથી દૂર કરવા પાછળના એક નહી અનેક કારણો છે. જેમકે  ક્ષતિગ્રસ્ત નોટો,  નકલી કરન્સી અને તેનો ઓછો થતો ઉપયોગ.

નાણા સચિવ ટીવી સોમનાથને જણાવ્યું છે કે, તેને સર્ક્યુલેશનમાંથી બહાર કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે અને તેની દેશની અર્થવ્યવસ્થા પર કોઈ અસર પડશે કે નહીં.

કેમ ચલણથી દૂર કરાઇ રહી છે 2000ની નોટ

નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાને કારણે 2000 રૂપિયાની નોટનો ઉપયોગ ઓછો થયો છે. તેને 2016 દરમિયાન રજૂ કરવામાં આવી હતી તે સમયે તેનો ઉપયોગ વધુ હતો.  પરંતુ હવે બજારમાં તેનો ટ્રેન્ડ ઓછો થયો છે. ઓનલાઇન પેમેન્ટનું ચલણ વધતાં પણ તેનો ઉપયોગ ઘણો ઓછો થયો છે.

અર્થતંત્ર પર શું અસર પડશે?

2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થવાને લઈને પણ એક સવાલ ઊભો થયો છે કે શું તેની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે. જેના જવાબમાં  નાણા સચિવે કહ્યું કે તેની અર્થવ્યવસ્થા પર કોઈ અસર નહીં થાય. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ રીતે આ નોટોનો ઉપયોગ મોટા પાયે ટ્રાન્ઝેક્શન હેતુઓ માટે કરવામાં આવી રહ્યો નથી.

જો કોઈ વ્યક્તિ નોટ બદલવાની ના પાડે તો શું કરવું?

જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે અને તમે તેને એક્સચેન્જ કરવા માંગો છો તો તમે બેંકમાં જઈને જમા કરાવી શકો છો. 30 સપ્ટેમ્બર 2023 પહેલા, જો કોઈ દુકાનદાર, બેંક શાખા અથવા અન્ય કોઈ બેંક નોટ 2000 રૂપિયા લેવાનો ઇનકાર કરે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

બેંકમાં એક જ વારમાં કેટલી રકમ જમા કરાવી શકાય?

તમે બેંકમાં એક સમયે 2000 રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયાની મર્યાદા જેટલી રોકડ જમા કરાવી શકો છો. બેંકમાં આ નોટને બદલે તમને અન્ય ચલણની બેંક નોટો મળશે. 23 મે, 2023થી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે.

વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે વ્યવસ્થા

આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું છે કે, બેંકોએ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ માટે 2000 રૂપિયાની નોટો બદલવાની વિશેષ વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય અને અસુવિધાની સ્થિતિ ન સર્જાઇ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget