![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહન જેલમુક્ત, આ કેસમાં ભોગવી રહ્યાં હતા સજા
બિહાર સરકારે તાજેતરમાં જ આનંદ સિંહ સહિત 27 દોષિતોને વહેલા મુક્ત કરવાની મંજૂરી આપતા જેલના નિયમોમાં સુધારો કર્યો હતો.જાણીએ બિહારના પૂર્વ સાંસદ ક્યાં કેસમાં સજા ભોગવી રહ્યા હતા.
![બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહન જેલમુક્ત, આ કેસમાં ભોગવી રહ્યાં હતા સજા former bihar mp anand mohan released from jail in g krishnaiah murder case બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહન જેલમુક્ત, આ કેસમાં ભોગવી રહ્યાં હતા સજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/9f5c4e25930f9f8c38bcd1bf7252c65d168258449448781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anand Mohan Singh News: પૂર્વ સાંસદ અને બાહુબલી આનંદ મોહનને ગુરુવારે (27 એપ્રિલ) સવારે 4.30 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હવે બિહાર સરકાર જેલના નિયમોમાં ફેરફાર કરવા અને ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા આનંદ મોહનની મુક્તિનો માર્ગ સાફ કરવા બદલ ટીકાઓનો સામનો કરી રહી છે. આનંદ મોહન સિંહ એક યુવા IAS અધિકારી અને તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ જી કૃષ્ણૈયાની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.
કથિત રીતે આનંદ મોહન સિંહ દ્વારા ઉશ્કેરવામાં આવેલા ટોળા દ્વારા કૃષ્ણૈયાની હત્યા કરવામાં આવી હતી. તેને તેની કારમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો અને માર માર્યા બાદ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જી ક્રિષ્નૈયા, 1985 બેચના IAS અધિકારી, તેલંગાણાના મહબૂબનગરના રહેવાસી છે.. આ કેસમાં આનંદને 2007માં ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. એક વર્ષ પછી, 2008 માં, પટના હાઈકોર્ટે સજાને આજીવન કેદમાં ફેરવી.
આનંદ મોહને તેની રિલીઝ પર શું કહ્યું?
આનંદ મોહને ત્યારપછી આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ રાહત મળી નથી અને તેઓ સહરસા જેલમાં હતા. તેમની પત્ની લવલી આનંદ પણ લોકસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમનો પુત્ર ચેતન આનંદ બિહારના શિવહરથી આરજેડી ધારાસભ્ય છે. તેમની મુક્તિ અંગેના હોબાળાના જવાબમાં, સિંહે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે બિલ્કીસ બાનો કેસના દોષિતોને પણ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના દબાણ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.
15 દિવસના પેરોલ બાદ ગઈકાલે જ જેલ પરત ફર્યો હતો
આનંદ મોહન સિંહ અગાઉ તેમના ધારાસભ્ય પુત્ર ચેતન આનંદના સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે પેરોલ પર આવ્યો હતા. પેરોલની મુદત પૂરી થયા બાદ તે 26 એપ્રિલે સહરસા જેલમાં પાછો ફર્યો હતો અને બીજા જ દિવસે એટલે કે 27 એપ્રિલે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
Bengal Ram Navami Violence: પશ્વિમ બંગાળમાં થયેલી રામનવમી હિંસાની તપાસ કરશે NIA, કલકત્તા હાઇકોર્ટે આપ્યો આદેશ
West Bengal Violence: કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં રામ નવમી દરમિયાન થયેલી હિંસાની NIA દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં રામ નવમીની ઉજવણી દરમિયાન પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો, આગચંપી અને મારામારીની ઘટનાઓ સામે આવી હતી. પોલીસના વાહનો, દુકાનો અને જાહેર પરિવહનના વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર 30 માર્ચથી હાવડા, ઉત્તર દિનાજપુર, ઈસ્લામપુરમાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. ત્યારપછીના દિવસોમાં હાવડા અને રિસડા સિવાય પણ ઘણી જગ્યાએ શોભા યાત્રા દરમિયાન હિંસક ઘટનાઓ બની હતી. ભીડને શાંત કરવા અને વિખેરવા માટે સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ મામલે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ટીએમસી અને બીજેપી બંનેએ એકબીજા પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય પોલીસને 2 અઠવાડિયાની અંદર તપાસ, FIR અને CCTV ફૂટેજ સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો NIAને સોંપવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં રામ નવમી પર થયેલી હિંસાની NIA તપાસની માંગ કરતી પીઆઈએલ દાખલ કરી હતી.
NIA આ કેસની તપાસ ક્યારે શરૂ કરશે
કેન્દ્ર સરકાર પાસેથી NOC મળ્યા બાદ NIA કેસની તપાસ શરૂ કરશે. શહેરમાં રામ નવમીની ઉજવણીમાં હિંસાને પગલે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. હાવડા, ખડગપુર, બેરકપુર, ભદ્રેશ્વર, સિલીગુડી અને આસનસોલમાં હજારો લોકોએ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ પરવાનગી હોવા છતાં પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં રામ નવમીના શોભાયાત્રાઓ પર બદમાશોએ હુમલો કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદની નોંધ લીધા પછી હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)