(Source: Dainik Bhaskar)
IAS Promotion: રાજ્યમાં કયા 4 IAS અધિકારીને અપાયા પ્રમોશન ?
1991ની બેચના 4 અધિકારીઓને પ્રમોશન અપાયું છે. જયંતિ રવી, અંજુ શર્મા, એસ જે હૈદર અને જે પી ગુપ્તાને પ્રમોશન આપવામાં આવ્યું છે.
IAS Promotion: રાજ્યના 4 આઇએએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે. સેક્રેટરીમાંથી એડિશનલ ચીફ સેક્રેટરીના પ્રમોશન અપાયા છે. 1991ની બેચના 4 અધિકારીઓને પ્રમોશન અપાયું છે. જયંતિ રવિ, અંજુ શર્મા, એસ જે હૈદર અને જે પી ગુપ્તાને પ્રમોશન આપવામાં આવ્યું છે.
કોણ છે જયંતિ રવિ?
17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે. તેઓ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે. તેઓ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે અને પંચમહાલનાં કલેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે.
ગુજરાતમાં કોરોનાએ ઉંચક્યું માથું, આ મોટા શહેરમાં 49 કેસ નોંધાતા ફફડાટ
ગુજરાતમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 49 કેસ નોંધાયા છે, એટલે કે અડધાથી વધારે કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 336 એક્ટિવ છે અને 5 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 49, મહેસાણામાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 6, સાબરકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 5, પોરબંદરમાં 2, રાજકોટમાં 2, અમદેલી, ભરૂચ અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 1154 લોકોએ રસીના ડોઝ લીધા છે.
ઈન્ફલુએન્ઝાના વાયરસના અમદાવાદમાં કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગ એલર્ટ મોડ ઉપર