શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, કહ્યું, પાર્ટી મને સીએમ બનાવે તો પણ બનવા તૈયાર

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. કોગેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું આજે ભાજપમાં જોડાયા છે. 2020ની રાજ્ય સભા ચૂંટણી સમયે પ્રવીણ મારુએ કોંગ્રેસ છોડી હતી.

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કેસરિયો ધારણ કર્યો છે. કોગેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારું આજે  ભાજપમાં જોડાયા છે. 2020ની રાજ્ય સભા ચૂંટણી સમયે પ્રવીણ મારુએ કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસ છોડયા બાદ પ્રવીણ મારુ કોઈ પાર્ટી સાથો જોડાયા નહોતા. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પ્રવીણ મારુની ભાજપમાં એન્ટ્રી થતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ ભાજપમાં જોડાતાની સાથે જ મોટું નિવેદન આપી દીધુ છે. પાર્ટી જે જવાબદારી આપે તે નિભાવિશ. પાર્ટી મને સીએમ બનાવે તો પણ બનવા તૈયાર છું.

ગઢડા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ આજે ભાજપમાં જોડતા પહેલા જણાવ્યું કે, તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના હતા અને તેમણે ભાજપ સમક્ષ મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે તે સમયે તેમની ઈચ્છા પૂર્ણ થાય તેમ ન જણાતાં તેઓ ભાજપમાં જોડાયા ન હતા.  જોકે આજે તેઓ ભાજપમાં વિધિવત જોડાઈ રહ્યા છે. ત્યારે હવે તેમની મંત્રી બનવાની ઈચ્છા પૂર્ણ થશે. તેવા સવાલના જવાબમાં તેમણે પક્ષ કહેશે તેમ કરીશ તેવો જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસ પર કરેલા આક્ષેપમાં સુર પુરાવ્યો જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નિર્ણયશક્તિ જ નહિ અનુશાસનનો પણ અભાવ છે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીની હોડ લગાવી રહ્યા હોય છે. ભવિષ્યમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવું ન દેખાતા ભાજપમાં જોડાઈ રહ્યો હોવાનું મારૂએ સ્પષ્ટ જણાવ્યું હતું.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા 

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

આપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકલ્પ બનવાની ક્ષમકા કોંગ્રેસ ખોઇ ચૂકી છે. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે.  ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી. બેઠકમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રદીપ ત્રિવેદી જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget