![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને કઇ જવાબદારી સોંપાઇ?
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આવતીકાલે જાહેર થઇ શકે તેવી શક્યતાઓ છે
![Gandhinagar: ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને કઇ જવાબદારી સોંપાઇ? Gandhinagar: 12 IPS officers transferred before announcement of election dates Gandhinagar: ચૂંટણીની તારીખોની જાહેરાત અગાઉ 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને કઇ જવાબદારી સોંપાઇ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/56cefbf68b1af6babb28d54356f57c8c166739711407174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખોની આવતીકાલે જાહેર થઇ શકે તેવી શક્યતાઓ છે ત્યારે રાજ્યના રાજ્યના 12 IPSની બદલીના ગૃહ વિભાગે આદેશ કર્યા હતા. રાજ્યમાં 12 IPSની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. એન.એસ.ચૌધરીની અમદાવાદ ટ્રાફિકના એડિશનલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી જ્યારે એ.જી.ચૌહાણને સ્ટેટ પોલીસ એકેડેમી કરાઇની જવાબદારી સોંપવામાં આવી છે.
તો ઉષા રાડાની SRPFમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એન.એન. ચૌધરીની એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ ટ્રાફિક વિભાગમાં બદલી કરાઈ હતી. આર.ટી. સુસરાને હજીરામાં મરીન ટાસ્કફોર્સના SP બનાવવામાં આવ્યા છે. મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIG તરીકે કરવામાં આવી છે.
Morbi હોનારતના રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપના ન.પાલિકા પ્રમુખે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, પ્રમુખે ખુદ કારણ પણ જણાવ્યું
Vyara NagarPalika President Cut Birthday Cake: 30 ઓક્ટોબર રવિવારે સાંજે મોરબીમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનાને લઈ આજે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો. આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નગર પાલિકામાં કાપવમાં આવી જન્મદિવસની કેકઃ
વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલ રાણાનો આજે 2 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. મહત્વનું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે છતાં પાલિકા પ્રમુખના જન્મદિવસની ઉજવણી નગર પાલિકા ખાતે કેક કાપી કરવામાં આવી હતી. જન્મદિવસની કેક કાપવામાં આવી હતી અને આ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. કેક કાપતી વખતે ફોટો અને વીડિયો પણ બનાવામાં આવ્યા હતા જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ સવાલ થઈ રહ્યા છે કે, સમગ્ર રાજ્યમાં જ્યારે શોકની લાગણી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે બર્થ ડે કેક કેમ કાપી?
પાલિકાના પ્રમુખે શું કહ્યું?
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત
સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)