શોધખોળ કરો

ભાજપ આ બેઠક પર બે મુસ્લિમ ઉમેદવારોના કારણે જીત્યો હોવાની વાત ખોટી, જાણો મતદાનના સમીકરણો

અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી પૂરી થાય તે પહેલા જ હાર માની લીધી હતી. અબડાસા બેઠક પર એવી વાત ચાલી રહી છે કે, કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને કારણે ગુમાવવી પડી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી પૂરી થાય તે પહેલા જ હાર માની લીધી હતી. અબડાસા બેઠક પર એવી વાત ચાલી રહી છે કે, કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને કારણે ગુમાવવી પડી છે. જોકે, બંને મુસ્લિમ ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવાર સહિત ત્રણેયના કુલ મત કરતાં પણ ભાજપના ઉમેદવારે વધુ મત મેળવ્યા છે. ત્યારે આ વાત ખોટી સાબિત થાય છે. નોંધનીય છે કે, અબડાસા બેઠક પર મુસ્લિમ દાવેદારો દ્વારા કોંગ્રેસ પાસે ટિકીટ માંગણી કરવામાં આવી હતી. જોકે, ટિકીટ ન આપતાં બે મુસ્લિમોએ ઉમેદવારી નોંધાવી હતી. અબડાસા બેઠક પર હનીફ બાવા અને અકુબ અચારભાઈ મુટવાએ કોંગ્રેસ પાસેથી ટિકીટ માંગી હતી. જોકે, કોંગ્રેસે ડો. શાંતિલાલ સેંઘાણીને ટિકીટ આપી હતી. આથી હનીફ બાવાએ અપક્ષ અને અકુબ મુટવાએ બહુજન મુક્તિ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,848 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 35,070 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલનો 36,778 મતથી પરાજય થયો હતો. બીજી તરફ કોંગ્રેસે ટિકીટ ન આપતા અપક્ષ ચૂંટણી લડેલા હનીફ બાવાને 26,463 અને અકુબ મુટવાને 4983 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસ અને બંને મુસ્લિમ ઉમેદવારોના મળીને કુલ 66,516 મત થાય છે. જે કોંગ્રેસને મળ્યા હોત તો પણ ભાજપના ઉમેદવાર 5,335 મતની લીડથી જીતી ગયા હતા. હનીફ બાવાએ કોંગ્રેસની હાર પછી આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ જ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. કોંગ્રેસે અમારા સમાજને વિશ્વાસમાં લીધા વગર ટીકીટ આપી હતી. કોંગ્રેસના નેતાઓને હવે સમજાયું હશે કે કિંગમેકર કોણ છે. મારા કારણે જ કોંગ્રેસ હારી છે. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારતા કહ્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Advertisement

વિડિઓઝ

Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.