શોધખોળ કરો

ભાજપ આ બેઠક પર બે મુસ્લિમ ઉમેદવારોના કારણે જીત્યો હોવાની વાત ખોટી, જાણો મતદાનના સમીકરણો

અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી પૂરી થાય તે પહેલા જ હાર માની લીધી હતી. અબડાસા બેઠક પર એવી વાત ચાલી રહી છે કે, કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને કારણે ગુમાવવી પડી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી પૂરી થાય તે પહેલા જ હાર માની લીધી હતી. અબડાસા બેઠક પર એવી વાત ચાલી રહી છે કે, કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને કારણે ગુમાવવી પડી છે. જોકે, બંને મુસ્લિમ ઉમેદવારો અને કોંગ્રેસના ઉમેદવાર સહિત ત્રણેયના કુલ મત કરતાં પણ ભાજપના ઉમેદવારે વધુ મત મેળવ્યા છે. ત્યારે આ વાત ખોટી સાબિત થાય છે. નોંધનીય છે કે, અબડાસા બેઠક પર મુસ્લિમ દાવેદારો દ્વારા કોંગ્રેસ પાસે ટિકીટ માંગણી કરવામાં આવી હતી. જોકે, ટિકીટ ન આપતાં બે મુસ્લિમોએ ઉમેદવારી નોંધાવી હતી. અબડાસા બેઠક પર હનીફ બાવા અને અકુબ અચારભાઈ મુટવાએ કોંગ્રેસ પાસેથી ટિકીટ માંગી હતી. જોકે, કોંગ્રેસે ડો. શાંતિલાલ સેંઘાણીને ટિકીટ આપી હતી. આથી હનીફ બાવાએ અપક્ષ અને અકુબ મુટવાએ બહુજન મુક્તિ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,848 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 35,070 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલનો 36,778 મતથી પરાજય થયો હતો. બીજી તરફ કોંગ્રેસે ટિકીટ ન આપતા અપક્ષ ચૂંટણી લડેલા હનીફ બાવાને 26,463 અને અકુબ મુટવાને 4983 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસ અને બંને મુસ્લિમ ઉમેદવારોના મળીને કુલ 66,516 મત થાય છે. જે કોંગ્રેસને મળ્યા હોત તો પણ ભાજપના ઉમેદવાર 5,335 મતની લીડથી જીતી ગયા હતા. હનીફ બાવાએ કોંગ્રેસની હાર પછી આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ જ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. કોંગ્રેસે અમારા સમાજને વિશ્વાસમાં લીધા વગર ટીકીટ આપી હતી. કોંગ્રેસના નેતાઓને હવે સમજાયું હશે કે કિંગમેકર કોણ છે. મારા કારણે જ કોંગ્રેસ હારી છે. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારતા કહ્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget