શોધખોળ કરો

Gujarat Lockdown Update: ગુજરાતમાં લોકડાઉન થશે ? જાણો શું કહ્યું સીએમ વિજય રૂપાણીએ.....

Lockdown News: કોરોના કેસોમાં ઘટાડો થાય અને સંક્રમિત લોકો જલદી સાજા થઇને ઘેર પરત ફરે તે જ પ્રયાસો કરવામાં આર્વી રહ્યાં છે. આકરાં પગલાં જીવનમાં થોડીક અગવડતા ઉભી કરશે પણ આ કરવું જરૂરી છે. ગુજરાતની જનતાએ જરૂરી સાથ સહકાર આપ્યો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી બેકાબૂ બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૫૮૦ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં નોંધાયેલા ત્રીજા સર્વોચ્ચ કેસ છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૮૭,૦૦૯ થઇ ગયો છે અને આ પૈકી ૧૭,૧૨૦ કેસ માર્ચ મહિનાના ૨૧ દિવસમાં જ નોંધાયા છે.

પ્રજાજોગ સંદેશમાં શું કહ્યું રૂપાણીએ

ગુજરાતમાં કોરોનાના કેસ વધવાના પગલે લોકડાઉન પણ નાંખવામાં આવી શકે છે તેવી વહેતી થયેલી અટકળો બાદ વિજય રૂપાણીએ રવિવારે સોશિયલ મીડિયા પર પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંમાં સાથ સહકાર આપવા મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને અપીલ કરી હતી. ગુજરાતની જનતાને પ્રજાજોગ સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ખાતરી આપી હતીકે, કોઇ અફવામાં દોરવાશો નહીં,ગુજરાતમાં લોકડાઉન નહી થાય.

લોકોએ ગભરાવવાની જરૂર નથી. પ્રજાને મુશ્કેલી ન થાય તે જ સરકારની પ્રાથમિકતા છે. ફેસબુક સહિત સોશિયલ મિડિયાના  માધ્યમથી પ્રજાજોગ સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને એવો વિશ્વાસ આપ્યો કે, કોરોનાને લીધે લોકોને ધંધા રોજગાર બંધ થશે નહીં. કોરોનાના સંક્રમણને જોતાં રાજ્ય સરકારે નિયંત્રણ લાદ્યાં છે જે લોકોના વ્યાપક હિતમાં છે. 

કોરોના કેસોમાં ઘટાડો થાય અને સંક્રમિત લોકો જલદી સાજા થઇને ઘેર પરત ફરે તે જ પ્રયાસો કરવામાં આર્વી રહ્યાં છે. આકરાં પગલાં જીવનમાં થોડીક અગવડતા ઉભી કરશે પણ આ કરવું જરૂરી છે. ગુજરાતની જનતાએ જરૂરી સાથ સહકાર આપ્યો છે. 

માસ્કના દંડને લઈ શું બોલ્યા રૂપાણી

ગુજરાતમાં કોરોનાના ટેસ્ટીંગનું પ્રમાણ વધારી દેવાયુ છે. હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં બેડ છે,દવાઓ પુરતા પ્રમાણમાં છે. મુખ્યમંત્રી એ વાતનો ય ખુલાસોકર્યો કે, સરકારને માસ્કનો દંડ લેવામાં રસ નથી. હાઇકોર્ટના આદેશના પગલે માસ્ક ન પહેરી બેદરકારી દાખવનારાં પાસેથી રૂા.1 હજાર દંડ લેવાઇ રહ્યો છે. રૂપાણીએ એવી અપીલ કરી કે, માસ્કનો દંડ જ આપવો પડે તેવી જાગૃતિ સાથેની સ્થિતી આપણે સૌ ઉભી કરીએ.બધા નિયમોનું પાલન કરીએ તો જ કોરોના હારશે અને ગુજરાત જીતશે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 989  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90  ટકા પર પહોંચ્યો છે. હાલ 7321  એક્ટિવ કેસ છે, જેમાંથી 71   લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.

Ahmedabad Corona Cases: અમદાવાદીઓ થઈ જાવ Alert, લોકડાઉનની વરસી પૂર્વે જ નોંધાયા અત્યાર સુધીને સૌથી વધુ કેસ

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.