શોધખોળ કરો

સીઆર પાટીલની હાજરીમાં જયરાજસિંહે કર્યા કેસરીયા, જાણો BJPમાં જોડાયા બાદ શું કહ્યું ?

છેલ્લા ઘણા દિવસોથી ભાજપ(BJP)માં જવાની  ચર્ચામાં રહેલા કૉંગ્રેસ(Congress)ના નેતા જયરાજ સિંહ(Jayrajsinh) આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.

ગાંધીનગર:  ગુજરાત(Gujarat)માં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપ(BJP)માં જવાની  ચર્ચામાં રહેલા કૉંગ્રેસ(Congress)ના નેતા જયરાજ સિંહ(Jayrajsinh) આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.  કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.

ગાંધીનગર(Gandhinagar)ના કમલમ પહોંચતા પહેલા જયરાજસિંહે શક્તિપ્રદર્શન કર્યુ હતુ. ભાઈજીપુરા સર્કલથી કમલમ સુધી જયરાજસિંહ પરમારે સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યાર બાદ પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં સામેલ થયા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જયરાજસિંહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈનો ભરતીમેળો કરતા નથી. સરકારની યોજના લોકો સુધી પહોંચાડે તે તમામનું સ્વાગત છે. ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ. 

કમલમ ખાતે જયરાજસિંહ પરમારે વિધિવત કેસરિયા કર્યા બાદ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પહેલા રાજાનો દિકરો રાજા થતો હતો. આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. લોહીનું એક પણ ટીપું પડ્યા વિના આખી સરકાર બદલાઈ જાય છે, એનું નામ લોકશાહી છે. તેમણે જણાવ્યું કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું.   જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, આ મંચ રાષ્ટ્રવાદી છે. હું કોઈ અપેક્ષા સાથે નથી આવ્યો  જે ખૂટે છે તે પૂરવા માટે આવ્યો છું. રાજનીતિએ સેવાનો વિષય હોવાની વાત કરતા જયરાજસિંહે શાયરાના અંદાજમાં કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગબ્બરે તલવાર કરી મ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં પતિદેવો પર પ્રતિબંધ
OM Birla : અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય સુધી સંસદમાં નહીં જાય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો, આજે કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
નરવણે બુક વિવાદ: રાહુલ ગાંધીના દાવા પર પબ્લિશરનો મોટો ખુલાસો, જનરલ નરવણેએ એક લાઈનમાં આપ્યો જવાબ
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
10 વર્ષનો રેકોર્ડ તૂટશે! ફેબ્રુઆરીમાં ગરમીને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; જાણો તાપમાન કેટલું રહેશે?
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
Bangladesh: મતદાનના 48 કલાક પહેલા લોહીયાળ ખેલ; 62 વર્ષીય હિન્દુ વેપારીની દુકાનમાં કરપીણ હત્યા
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કયા જિલ્લામાં યોજાશે ચૂંટણી?
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹2.64 લાખ અને સોનું ₹1.60 લાખ: એક જ દિવસમાં ચાંદીમાં ₹7,500નો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
સાવધાન! 20 ફેબ્રુઆરીથી બદલાશે ઇન્ટરનેટના નિયમો: AI ફોટો અને વીડિયો હવે વોટરમાર્ક વગર મૂકી શકાશે નહીં
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
GSEB Exam 2026: ધો. 10 અને 12ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Gujarat School Exam: ધો. 3 થી 8 ની પરીક્ષા 6 એપ્રિલથી શરૂ; ટાઈમ ટેબલ અને પેપર સ્ટાઈલ જાહેર
Embed widget