શોધખોળ કરો

Lok Sabha: આજે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ થશે જાહેર, 3 વાગ્યા બાદ EC કરી શકે છે જાહેરાત

દેશભરમાં તમામ રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીને લઇને તૈયાર છે, ત્યારે આજે ચૂંટણી પંચ લોકસભાની જાહેરાત કરી શકે છે

Lok Sabha Election 2024: દેશભરમાં તમામ રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીને લઇને તૈયાર છે, ત્યારે આજે ચૂંટણી પંચ લોકસભાની જાહેરાત કરી શકે છે, આજે ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે, આ સંભવતઃ બપોરે ત્રણ વાગ્યા બાદ થઇ શકે છે. 

માહિતી છે કે, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને ગણગણાટ શરૂ થઇ ચૂક્યો છે, તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે, અને હવે આજે લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ શકે છે. આગામી લોકસભા ચૂંટણીનો આજે કાર્યક્રમ જાહેર થશે. આજે બપોરે ત્રણ વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ આ જાહેરાત કરશે. 6 થી 7 તબક્કામાં આ લોકસભા ચૂંટણી યોજાઇ શકે છે. જેમાં યુપી, બિહારમાં 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાઇ શકે છે. દેશના પૂર્વોત્તર વિસ્તારોમાં એક તબક્કામાં મતદાન થઇ શકે છે. રાજસ્થાનમાં 2 થી 3 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્લી, પંજાબ, હરિયાણામાં એક તબક્કામાં મતદાનની શક્યતા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં દેશભરમાંથી 97 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 12 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર આ મતદાન યોજાઇ શકે છે.

લોકસભાની સાથે પેટાચૂંટણી પણ શક્ય - 
સુત્રો અનુસાર, આગામી લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે. વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ગુજરાતમાં ખંભાત, વિજાપુર, વિસાવદરની પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત વાઘોડીયા, પોરબંદર, માણાવદરની પેટાચૂંટણીની પણ જાહેરાત થઇ શકે છે. 

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થશે, જાણો આચાર સંહિતા લાગૂ થયા બાદ શું બદલાશે - 

ચૂંટણી પંચ શનિવારે બપોરે 3 વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, ગત વખતની જેમ આ વખતે પણ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે 10 માર્ચ 2019ના રોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 11 એપ્રિલથી 19 મે સુધી દેશભરમાં 7 તબક્કામાં મતદાન થયું હતું.  પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આચારસંહિતા લાગુ થયા બાદ સરકારની સામાન્ય કામગીરીમાં નોંધપાત્ર ફેરફારો થશે.

 1- કેટલા તબક્કામાં ચૂંટણી યોજી શકાશે?

માનવામાં આવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. 2019માં ચૂંટણી પંચે 7 તબક્કામાં ચૂંટણી યોજી હતી. જ્યારે 2014માં 7 એપ્રિલ 2014થી 12 મે 2014 વચ્ચે 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પરિણામ 16 મેના રોજ આવ્યું હતું.

2- આદર્શ આચાર સંહિતા શું છે?

ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાના બંધારણીય અધિકાર હેઠળ આદર્શ આચાર સંહિતા લાગુ કરે છે. આ અંતર્ગત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આચારસંહિતાનો હેતુ બધા માટે સમાન તકો ઊભી કરવાનો છે.

   3- આચારસંહિતા લાગુ થયા બાદ શું બદલાશે?

આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી યોજનાઓની જાહેરાત કે શિલાન્યાસ પર પ્રતિબંધ રહેશે.

- લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોઇ પણ  સરકારી પ્રોજેકટના શિલાન્યાસ કે કોઈ પણ પ્રકારની યોજનાઓ  શરૂ કરી શકાશે નહીં.

- આચારસંહિતા દરમિયાન, ચૂંટણી પ્રક્રિયા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ પર પ્રતિબંધ રહેશે. અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ ચૂંટણી પંચની પરવાનગીથી જ થઈ શકે છે. સરકારી ખર્ચે પક્ષની સિદ્ધિઓની જાહેરાતો આપી શકાશે  નહીં.

4- 2019 માં તારીખો ક્યારે જાહેર કરવામાં આવી હતી?

ચૂંટણી પંચે છેલ્લે 10 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે ગત વર્ષની સરખામણીમાં 16મી માર્ચે એટલે કે 6 દિવસ મોડી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી રહી છે.

5- ગયા વખતે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી?

2019 માં, 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં દેશભરમાં મતદાન થયું હતું. જ્યારે 2014માં 7 એપ્રિલ 2014થી 12 મે 2014 વચ્ચે 9 તબક્કામાં મતદાન થયું હતું.

6- કયા રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાઈ હતી?

પ્રથમ તબક્કો- 11 એપ્રિલે પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થયું હતું. 11 એપ્રિલ 2019ના રોજ આંધ્ર પ્રદેશ (તમામ 25 બેઠકો), અરુણાચલ પ્રદેશ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), જમ્મુ અને કાશ્મીર (2), મહારાષ્ટ્ર (7), મણિપુર (1) મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1), ઓડિશા (4), સિક્કિમ (1), તેલંગાણા (17), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (2) ) આંદામાન અને નિકોબારમાં (1), લક્ષદ્વીપ (1)માં મતદાન થયું હતું.

બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), જમ્મુ અને કાશ્મીર (2), કર્ણાટક (14), મહારાષ્ટ્ર (10), મણિપુર (1), ઓડિશા (5), તમિલનાડુ (39) , ત્રિપુરામાં (1), ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), પુડુચેરી (1)માં મતદાન થયું હતું.

ત્રીજો તબક્કો- 23 એપ્રિલે 14 રાજ્યોની 115 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગુજરાત (26), ગોવા (2), જમ્મુ અને કાશ્મીર (1)*, કર્ણાટક (14), કેરળ (20), મહારાષ્ટ્ર (14) ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (10), પશ્ચિમ બંગાળ (5), દાદરા અને નગર હવેલી (1), દમણ અને દીવ (1)માં મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (1)*, ઝારખંડ (3), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (17), ઓડિશા (6), રાજસ્થાન (13), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળમાં (8) મત પડ્યા હતા.

પાંચમો તબક્કો- 6 મેના રોજ 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે, બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (2)*, ઝારખંડ (4), મધ્ય પ્રદેશ (7), રાજસ્થાન (12), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (7)માં મતદાન થયું હતું.

છઠ્ઠા તબક્કા- 12 મેના રોજ 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (8), દિલ્હી (7)ની બેઠકો પર મતદાન થયું હતું.

સાતમો તબક્કો- 19 મેના રોજ 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (8), ઝારખંડ (3), મધ્યપ્રદેશ (8), પંજાબ (13), પશ્ચિમ બંગાળ (9), ચંદીગઢ (1), ઉત્તર પ્રદેશ (13), હિમાચલ પ્રદેશ (4)માં મતદાન થયું હતું. ).

7- 2019માં કેટલા મતદારો હતા?

2019ની લોકસભા ચૂંટણીમાં 90 કરોડ મતદારો હતા. જો કે આ પૈકી 67.11 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 46.8 કરોડ પુરુષ અને 43.2 કરોડ મહિલા મતદારો હતા. 2014ની સરખામણીમાં 2019માં 8.4 કરોડ મતદારોનો વધારો થયો હતો. તેમાંથી 1.5 કરોડ મતદારો 18 થી 19 વર્ષની વય જૂથના હતા. 2014માં 81 કરોડ મતદારો હતા.

8- 2019 માં શું પરિણામો આવ્યા?

2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ 351 બેઠકો જીતી હતી, જ્યારે UPAને 90 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. જ્યારે ટીએમસીને 22 બેઠકો મળી હતી. છેલ્લી ચૂંટણીમાં શિવસેનાને NDAમાં સામેલ કરવામાં આવી હતી, જ્યારે પાર્ટીએ 18 બેઠકો જીતી હતી. નીતિશની JDUને 16 બેઠકો મળી હતી. તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને 23 બેઠકો મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
પાટણથી કચ્છ સુધી ભડકો! જીજ્ઞેશ મેવાણીના એક નિવેદને પોલીસ બેડામાં લગાવી આગ, જાણો શું કહ્યું હતું?
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Gujarat Police Special Drive: 100 કલાકમાં 31,000 થી વધુની તપાસ! ગુજરાત પોલીસે શોધી કાઢ્યા રાષ્ટ્રવિરોધી તત્વો, રિપોર્ટ જોઈ ચોંકી જશો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો
Vadodara Crime: પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો, 5 દિવસ બાદ કબરમાંથી મૃતદેહ બહાર કઢાતા ફૂટ્યો હત્યાનો ભાંડો
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!
BLO duty workload: BLO ની કામગીરી જીવલેણ બની? જામનગરમાં મહિલા શિક્ષિકા ચાલુ ફરજે ઢળી પડ્યા, સીધા ICU માં!
Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો
Gold Investment Tips: સોનાની તેજીનો ફુગ્ગો ફૂટી ગયો? હવે ભાવ વધશે કે ઘટશે? રિપોર્ટમાં થયો મોટો ધડાકો
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
Embed widget