શોધખોળ કરો

Kutch : કચ્છમાં 23 વર્ષીય યુવાને Agnipath યોજનાના સમર્થનમાં પોતાના લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, જાણો પત્રમાં શું લખ્યું

Agnipath Scheme : મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલમાં કચ્છના દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાન દીપક ડાંગરે પોતાના લોહોથી પત્ર લખ્યો છે.

Kutch : કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી અંગે જાહેર કરેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme)નો દેશના અનેક રાજ્યોમાં હજારો યુવાનો વિરોધ કરી રહ્યા છે, આવા વાતારવરણમાં કચ્છના એક યુવાને આ યોજનાને અનોખી રીતે સમર્થન આપ્યું છે. મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલમાં કચ્છના દયાપરમાં રહેતા  23 વર્ષીય  યુવાન દીપક ડાંગરે પોતાના લોહોથી  રક્ષા મંત્રી રાજનાથસિંહને (Rajnath Singh)પત્ર લખ્યો છે. 

આ પત્રમાં અગ્નિપથ યોજનાના સમર્થનમાં દીપકે લખ્યું છે કે શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા તૈયાર છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી. આ સાથે જ હાલ સરકારી સંપતિને નુકસાન પહોંચાડી રહેલા યુવાઓને પણ હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે. 

અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે વધારાના લાભો જાહેર કર્યા 
અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકારે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. અગ્નિવીર માટે મોટી જાહેરાત કરતી વખતે, સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયમાં નોકરી માટે 10% જોબ રિઝર્વેશન મળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ અને તમામ 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સમાં 10% અનામત લાગુ કરવામાં આવશે. આ આરક્ષણ ભૂતપૂર્વ સૈનિકો માટેના હાલના આરક્ષણ ઉપરાંત હશે.

આ જોગવાઈઓને લાગુ કરવા માટે સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે. સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમના સંબંધિત ભરતી નિયમોમાં સમાન સુધારા કરવાની સલાહ આપવામાં આવશે. જરૂરી ઉંમરમાં છૂટછાટની જોગવાઈ પણ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયમાં નોકરીની 10% ખાલી જગ્યાઓ અગ્નિવીરો માટે આરક્ષિત રહેશે, જેઓ જરૂરી પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલોMahisagar news: લુણાવાડામાં અંગત અદાવતમાં કેટલાક શખ્સોએ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર કર્યો હુમલોColdplay Concert In Ahmedabad: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાનHun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
USA: અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પોતાના નાગરિકોને પાછા બોલાવશે ભારત? જયશંકરે શું આપ્યો જવાબ?
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
નેશનલ હેલ્થ મિશનને મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય? શણની MSPમાં પણ કર્યો વધારો
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
Jeet Adani Diva Shah Wedding: કોણ છે દિવા શાહ, જેના ગૌતમ અદાણીના પુત્ર સાથે થવાના છે લગ્ન
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
IND vs ENG: આ 3 કારણોથી ભારતને મળી પહેલી T20માં ભવ્ય જીત, કોલકાતામાં આવ્યું 'અભિષેક શર્મા'નું તોફાન
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Embed widget