શોધખોળ કરો

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા જામીન, જાણો કઈ શરતે કોર્ટ આપ્યા  જામીન 

અંદાજે 40 દિવસ બાદ આપના ધારાસભ્યને જામીન મળ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે.

નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જમીન મળ્યા છે. અંદાજે 40 દિવસ બાદ આપના ધારાસભ્યને જામીન મળ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટના ઘારાસભ્ય ચૈતરના જામીનથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી શકે છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે. આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે. 

આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રહેશે.  

ચૈતર વસાવા ભરૂચ બેઠકથી લડશે લોકસભા ચૂંટણી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ  મોટી જાહેરાત  કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ લોકસભા માટે  ચેતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. ષડયંત્ર રચી જો ચૈતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે.

ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ: ભગવંત માન

પંજાબના સીએમ ભગવંત માને જનસભાને સંબોધતા કહ્યું હતું કે,  ચૈતર વસાવા આદિવાસી સમાજનો સિંહ છે. ભાજપ ક્યારેય તેને ડરાવી, ધમકાવી નહીં શકે. ચૈતર વસાવાને પિંજરામાં પુરીને ભાજપ ઘાસ નાંખશે તો નહીં ખાય. ચૈતર વસાવા પોતાનો શિકાર જાતે કરશે.

કોણ છે ચૈતર વસાવા

ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા હતા. ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું,
Israle-Iran War: ઇઝરાયલ અને અમેરિકના હુમલામાં ખામેનીના મોતને લઈ પુતિન લાલઘુમ, કહ્યું, "આ હત્યા..."
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
Embed widget