શોધખોળ કરો

ભરૂચમાં ચૈતર વસાવા અને મૃતકના સંબંધીઓ વચ્ચે મારામારી: સામસામે થપ્પડ માર્યાના આક્ષેપથી વિવાદ

Chaitra Vasava controversy: મૃતકના પરિવારે ચૈતર પર પૈસા ઉઘરાવવાનો અને લાફો માર્યાનો આરોપ લગાવ્યો, વસાવાએ કર્યો બચાવ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઝઘડિયા GIDC માં કંપનીમાં આગથી 2 કામદારના મોત.
  • AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર મારામારીનો આરોપ.
  • પરિવારે કહ્યું, વસાવા પૈસા ઉઘરાવવા આવ્યા હતા.
  • વસાવાએ આરોપો ફગાવી પોલીસ પર દોષ ઢોળ્યો.

Chaitra Vasava controversy: ભરૂચના ઝઘડિયામાં આવેલી એક કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 2 કામદારોના મોત બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. મૃતક કામદારના પરિવારજનો સાથે વળતર મુદ્દે ચૈતર વસાવાની બોલાચાલી અને મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે કે વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને તેમણે મૃતકના સગાને લાફો માર્યો હતો, જેની સામે પરિવારે પણ તેમને વળતો લાફો ઝીંકી દીધો હતો. જોકે, બીજી તરફ ચૈતર વસાવાએ આ તમામ આરોપો ફગાવી દઈને પોલીસ અને અન્ય તત્વો પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીમાં (GIDC) આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કરુણ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના બાદ કંપનીએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ, આ વળતરની વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકોના ટોળા સાથે કંપની પર પહોંચી ગયા હતા, જ્યાંથી આખો વિવાદ શરૂ થયો હતો.

લાફાકાંડ અને પૈસા ઉઘરાવવાનો આરોપ

જ્યારે ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા, ત્યારે મૃતકના પરિવારે તેમને આ મામલામાં મધ્યસ્થી કરવાની કે વચ્ચે પડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મૃતકના સબંધીઓનો આરોપ છે કે જ્યારે તેમણે વસાવાને દખલગીરી કરવાની મનાઈ કરી, ત્યારે ઉશ્કેરાઈને ચૈતર વસાવાએ તેમને થપ્પડ મારી દીધી હતી. આના જવાબમાં પરિવારે પણ વસાવાને થપ્પડ મારી હોવાની ચર્ચા છે. પરિવારજનોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને ન્યાય અપાવવામાં કોઈ રસ નથી, તેઓ માત્ર કંપની પાસેથી પોતાના નામે પૈસા ઉઘરાવવા જ અહીં આવ્યા હતા.

ચૈતર વસાવાએ કર્યો બચાવ

આ સમગ્ર 'લાફાકાંડ' મામલે ભારે હોબાળો મચ્યા બાદ ચૈતર વસાવાએ પણ પોતાનું નવું નિવેદન જાહેર કર્યું છે. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વસાવાનું કહેવું છે કે, "મૃતકના પરિજનોએ જ અમારી સમક્ષ ન્યાયની માંગણી કરી હતી, અને પરિવારની માંગ પર જ અમે કંપની પર ગયા હતા." તેમણે વધુમાં દાવો કર્યો છે કે મૃતકના પરિવાર સાથે જેમને કોઈ લેવાદેવા જ નથી, તેવા બહારના લોકોએ ત્યાં આવીને બબાલ કરી હતી. આ સાથે જ વસાવાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે પોલીસે ખોટી રીતે ટોળા પર બળપ્રયોગ કર્યો હતો.

Frequently Asked Questions

ચૈતર વસાવા કયા વિવાદમાં સપડાયા છે?

ચૈતર વસાવા ઝઘડિયામાં લાગેલી આગની ઘટનામાં મૃતક કામદારોના પરિવારજનો સાથે વળતર મુદ્દે થયેલી બોલાચાલી અને મારામારીના વિવાદમાં સપડાયા છે.

મૃતક કામદારના પરિવારજનોએ ચૈતર વસાવા પર શું આરોપ લગાવ્યો છે?

પરિવારે આરોપ લગાવ્યો છે કે વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને તેમણે મૃતકના સગાને લાફો માર્યો હતો, જેના જવાબમાં પરિવારે પણ તેમને લાફો ઝીંકી દીધો હતો.

આગની ઘટના ક્યાં અને કઈ કંપનીમાં બની હતી?

આ ઘટના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં બની હતી.

આગની ઘટનામાં કેટલા લોકોના મોત થયા હતા અને કેટલા દાઝ્યા હતા?

આ કરુણ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા.

ચૈતર વસાવાએ પોતાના પર લાગેલા આરોપોનો શું બચાવ કર્યો છે?

વસાવાએ તમામ આરોપો ફગાવી દઈને કહ્યું છે કે મૃતકના પરિવારે ન્યાયની માંગણી કરી હતી અને બહારના લોકોએ બબાલ કરી હતી. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
Advertisement

વિડિઓઝ

Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પડ્યો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કેમ પાછુ પડ્યું આપણું ગામ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
CNG Price Hike: પેટ્રોલ અને ડીઝલ પછી CNG પણ થયું મોંઘુ, 11 દિવસમાં ચોથી વખત વધ્યાં ભાવ, પ્રતિ કિલો 2 રૂપિયાનો વઘારો
Stock Market Today: શેરબજારમાં ફરી કડાકો, સેંસેક્સ 200 પોઇન્ટ ડાઉન
Stock Market Today: શેરબજારમાં ફરી કડાકો, સેંસેક્સ 200 પોઇન્ટ ડાઉન
Embed widget