શોધખોળ કરો

ભરૂચમાં ચૈતર વસાવા અને મૃતકના સંબંધીઓ વચ્ચે મારામારી: સામસામે થપ્પડ માર્યાના આક્ષેપથી વિવાદ

Chaitra Vasava controversy: મૃતકના પરિવારે ચૈતર પર પૈસા ઉઘરાવવાનો અને લાફો માર્યાનો આરોપ લગાવ્યો, વસાવાએ કર્યો બચાવ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઝઘડિયા GIDC માં કંપનીમાં આગથી 2 કામદારના મોત.
  • AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર મારામારીનો આરોપ.
  • પરિવારે કહ્યું, વસાવા પૈસા ઉઘરાવવા આવ્યા હતા.
  • વસાવાએ આરોપો ફગાવી પોલીસ પર દોષ ઢોળ્યો.

Chaitra Vasava controversy: ભરૂચના ઝઘડિયામાં આવેલી એક કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 2 કામદારોના મોત બાદ મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. મૃતક કામદારના પરિવારજનો સાથે વળતર મુદ્દે ચૈતર વસાવાની બોલાચાલી અને મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે કે વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને તેમણે મૃતકના સગાને લાફો માર્યો હતો, જેની સામે પરિવારે પણ તેમને વળતો લાફો ઝીંકી દીધો હતો. જોકે, બીજી તરફ ચૈતર વસાવાએ આ તમામ આરોપો ફગાવી દઈને પોલીસ અને અન્ય તત્વો પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીમાં (GIDC) આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કરુણ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઘટના બાદ કંપનીએ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી દીધી છે. પરંતુ, આ વળતરની વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન જ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકોના ટોળા સાથે કંપની પર પહોંચી ગયા હતા, જ્યાંથી આખો વિવાદ શરૂ થયો હતો.

લાફાકાંડ અને પૈસા ઉઘરાવવાનો આરોપ

જ્યારે ચૈતર વસાવા કંપની પર પહોંચ્યા, ત્યારે મૃતકના પરિવારે તેમને આ મામલામાં મધ્યસ્થી કરવાની કે વચ્ચે પડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. મૃતકના સબંધીઓનો આરોપ છે કે જ્યારે તેમણે વસાવાને દખલગીરી કરવાની મનાઈ કરી, ત્યારે ઉશ્કેરાઈને ચૈતર વસાવાએ તેમને થપ્પડ મારી દીધી હતી. આના જવાબમાં પરિવારે પણ વસાવાને થપ્પડ મારી હોવાની ચર્ચા છે. પરિવારજનોએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને ન્યાય અપાવવામાં કોઈ રસ નથી, તેઓ માત્ર કંપની પાસેથી પોતાના નામે પૈસા ઉઘરાવવા જ અહીં આવ્યા હતા.

ચૈતર વસાવાએ કર્યો બચાવ

આ સમગ્ર 'લાફાકાંડ' મામલે ભારે હોબાળો મચ્યા બાદ ચૈતર વસાવાએ પણ પોતાનું નવું નિવેદન જાહેર કર્યું છે. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વસાવાનું કહેવું છે કે, "મૃતકના પરિજનોએ જ અમારી સમક્ષ ન્યાયની માંગણી કરી હતી, અને પરિવારની માંગ પર જ અમે કંપની પર ગયા હતા." તેમણે વધુમાં દાવો કર્યો છે કે મૃતકના પરિવાર સાથે જેમને કોઈ લેવાદેવા જ નથી, તેવા બહારના લોકોએ ત્યાં આવીને બબાલ કરી હતી. આ સાથે જ વસાવાએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે પોલીસે ખોટી રીતે ટોળા પર બળપ્રયોગ કર્યો હતો.

Frequently Asked Questions

ચૈતર વસાવા કયા વિવાદમાં સપડાયા છે?

ચૈતર વસાવા ઝઘડિયામાં લાગેલી આગની ઘટનામાં મૃતક કામદારોના પરિવારજનો સાથે વળતર મુદ્દે થયેલી બોલાચાલી અને મારામારીના વિવાદમાં સપડાયા છે.

મૃતક કામદારના પરિવારજનોએ ચૈતર વસાવા પર શું આરોપ લગાવ્યો છે?

પરિવારે આરોપ લગાવ્યો છે કે વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને તેમણે મૃતકના સગાને લાફો માર્યો હતો, જેના જવાબમાં પરિવારે પણ તેમને લાફો ઝીંકી દીધો હતો.

આગની ઘટના ક્યાં અને કઈ કંપનીમાં બની હતી?

આ ઘટના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ નામની કંપનીમાં બની હતી.

આગની ઘટનામાં કેટલા લોકોના મોત થયા હતા અને કેટલા દાઝ્યા હતા?

આ કરુણ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા.

ચૈતર વસાવાએ પોતાના પર લાગેલા આરોપોનો શું બચાવ કર્યો છે?

વસાવાએ તમામ આરોપો ફગાવી દઈને કહ્યું છે કે મૃતકના પરિવારે ન્યાયની માંગણી કરી હતી અને બહારના લોકોએ બબાલ કરી હતી. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

3-3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 6 દિવસ તોફાની વરસાદની આગાહી, આવતીકાલે 30 જિલ્લામાં ભુક્કા બોલાવશે, જુઓ લિસ્ટ
3-3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 6 દિવસ તોફાની વરસાદની આગાહી, આવતીકાલે 30 જિલ્લામાં ભુક્કા બોલાવશે, જુઓ લિસ્ટ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget