શોધખોળ કરો

કોરોનાના દર્દી રેમડેસિવિર ઈંજેક્શન લેતાં પહેલાં ચેતે, આ 5 ગંભીર સાઈડ ઈફેક્ટથી જઈ શકે છે જીવ

કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી આડઅસરની ચેતવણી આપે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર (Gujarat Corona Cases) મચાવ્યો છે અને દૈનિક 5 હજારથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે અને ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન આજે સવારે ફરીથી ઝાયડ્સ હોસ્પિટલ (Zydus Hospital) ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું (Remdesivir Injection) માંગ ફરી વેચાણ શરૂ થયું છે.  આ માટે લોકોએ મધરાતથી જ લાઇનો લગાવી હતી.

કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ  રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી 5 જીવલેણ આડઅસરની ચેતવણી આપે છે.

  1. લોહીમાં ઓક્સિજન ઘટી જઈ શકે. તેના કારણે શ્વાસ રૂંધાય ને મૃત્યુ નિપજે
  2. બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય
  3. પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ સર્જાય
  4. લિવરને ગંભીર અસર થાય કે જે જીવલેણ સાબિત થાય
  5. સામાન્ય લક્ષણ ધરાવતાં કિસ્સામાં રેમેડેસિવિરનો ઉપયોગ ઠીક નથી

રિમડેસિવિરથી સારવાર કરાયેલા લોકોમાં તે સામાન્ય રીતે થતી સામાન્ય અસરોમાં શ્વાસ રૂંધાવો અને  બ્લડ  બાયોમેકર્સના કારણે મહત્વના અંગ કામ કરતાં બંધ થઈ જઈ શકે છે. જેમાં ઓછી આલ્બુમિન, લો પોટેશિયમ, રક્ત કણોમાં ઘટાડો, થ્રોમ્બોસાયટ્સ ઘટી જવા અને કમળાનો સમાવેશ થાય છે. અન્ય અહેવાલ મુજબ વિપરીત અસરોમાં ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ મુશ્કેલી, લોહીમાં એલિવેટેડ ટ્રાન્સમિનેઝનું સ્તર (યકૃત ઉત્સેચકો), પ્રેરણા સાઇટની પ્રતિક્રિયાઓ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અસામાન્યતાઓ સામેલ છે. રેમડેસિવિર ઇન્ફ્યુઝન-સંબંધિત પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે, જેમાં લો બ્લડ પ્રેશર, ઉબકા, ઉલટી થવી, પરસેવો વળવો અથવા કંપન થવું શામેલ છે.   કેટલાક કિસ્સામાં રેમડેસિવિરની આડઅસરમાં લિવર પર પણ જોવા મળે છે. જેને લઈ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

 આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....

ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

રેમડેસિવિર ઈન્જેક્શનની કઈ સારવાર માટે થઈ હતી શોધ

લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારક હોવાનું લાગે છે અને તેના કારણે જ કોરોનાના દર્દી બચશે એવું લાગે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં. રેમડેસિવિર ઈન્જેકશન હેપેટાઈટિસ બી રોગની સારવાર માટે બનાવાયું હતું. એ પછી ઈબોલા વાયરસ ડીસિઝ અને મારબર્ગ વાયરસ ઈંફેક્શન માટે પણ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો. 2019નાં કોરોનાના કેસ નોંધાવા માંડ્યા પછી તમામ દેશો હાંફળાફાંફળા થઈ ગયા હતા કેમ કે કોરોનાની કોઈ દવા નહોતી. રેમડેસિવિર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરાનાની સારવાર માટે કરવા સંશોધન શરૂ થયાં. આ સંશોધનોનાં પરિણામો હકારાત્મક દેખાતાં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે શરૂ કરાયો હતો. 2020ની સાલથી વિશ્વના લગભગ 50 દેશોમાં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Forecast: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
Rain Update: એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું એલર્ટ
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026: આજે RCB અને GT વચ્ચે ફાઇનલ, વિજેતા ટીમ પર થશે ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે પૈસા
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
IPL 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ, 3 નંબર પર વિરાટ કોહલી, ગિલને ન મળ્યું સ્થાન, પૂર્વ ખેલાડીએ પસંદ કરી ટીમ
Embed widget