શોધખોળ કરો

અમરેલીમાં સાર્વત્રીક વરસાદથી જગતના તાતની વધી ચિંતા, જાણો કયા ડેમના ખોલવામાં આવ્યા દરવાજા

સીઝનમાં સતત એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા અમરેલીમાં કહેર વરસાવી રહ્યા છે.

અમરેલી જિલ્લા પર ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતાં મહેરબાન થયા છે. સીઝનમાં સતત એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા અમરેલીમાં કહેર વરસાવી રહ્યા છે. આજે બપોર પછી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબકતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2 ફરી છલકાયો હતો. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, વડ, છતડીયા, હીડોરાણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સાવરકુંડલાના અનેક ગામોમાં વરસાદ પડતાં કપાસના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. પંથકના ચરખડિયા, નાના ભમોદ્રા, સીમરણ(જીરા), ખડકાળા સહિત ઘણા ગામોમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. અમરેલીમાં સાર્વત્રીક વરસાદથી જગતના તાતની વધી ચિંતા, જાણો કયા ડેમના ખોલવામાં આવ્યા દરવાજા બાબરા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. બાબરાના પાનસડા,થોરખાણ, ગરણી, ઘૂઘરાળા સહિતના અનેત ગામોમાં વરસાદને પગલે ખેડૂતોના પાકોને નુક્શાનની ભીતિ છે. ખેડૂતોનો મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ થોડી ઘણી આશા કપાસના પાક પર હતી. પરંતુ વરસાદથી તે પણ નિષ્ફળ જઈ શકે છે. અમરેલી તાલુકાના ફતેપુરા, બાબાપુર,પાણિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ધારીના ગોપાલગ્રામ, હાલરીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખાંભા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી હતા. ખાંભાના નાનુડી, રાણીંગપરા, સરાકડિયા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Embed widget