Dhirendra Shastri LIVE: વિશ્વ ઉમિયાધામ પહોચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, મા ઉમિયાની આરતી અને પૂજા કરશે
સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે.

Background
ગાંધીનગરઃ સુરત બાદ ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ પગ જમાવી રહ્યાં છે. સુરતમાં બે દિવસીય દરબાર યોજ્યા બાદ આજે બાબા પાટનગર ગાંધીનગરમાં બાબા દરબાર યોજશે. આજે ઝૂંડાલ ખાતે આવેલા રાઘવ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં સાંજના સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. ગુરૂ વંદના મંચ તરફથી આયોજિત બાબાના આ દરબારમાં ગુજરાતભરના સાધુ- સંતો અને કથાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં યોજાનારા દરબારમાં 15000 હજારથી વધુ સાધુ- સંતો અને લાકોની સંખ્યામાં ભક્તો ઉમટશે. બાબાના દરબારને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાનારા બાબાના દરબારમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહે તેવી પણ શક્યતા છે.
અમદાવાદમા યોજાશે બાબાનો દરબાર
અમદાવાદઃ અમદાવાદમા બાબા બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ મામલે મોટા સમાચાર આવ્યા છે. ચાણક્યપુરીમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ઓગણજ સ્થિત પ્રમુખ સ્વામી નગરમાં યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ચાણક્યપુરીમાં બાબાનો દરબાર યોજવાની પોલીસ મંજૂરી આપે તેવી સંભાવના ઓછી છે. સમર્થકો સામે જગ્યા નાની પડતી હોવાના કારણે પોલીસ કાર્યક્રમને મંજૂરી આપવાની વિરોધમાં છે. દરબારમાં 2 લાખ લોકો આવશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાય તેવી સંભાવના છે.
વિશ્વ ઉમિયાધામ પહોચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી
બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામ પહોચ્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરશે. આ ઉપરાંત બાબા વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની આરતી અને પૂજા કરશે. શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ આપશે. બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરશે.વિશ્વ ઉમિયાધામમાં બાબાનુ સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી માતાના દર્શન કર્યા
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબાજી પહોંચીને માં અંબાના દર્શન કર્યા છે, અંબાજીના દર્શન કરીને બાબાએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ હતુ. બાબા સવારે હેલિકૉપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા, હવે બાબા અમદાવાદ પરત ફરશે.





















