![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચોમાસા પહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, વીજ જોડાણ મુદ્દે કર્યો મહત્ત્વનો નિર્ણય
આ વર્ષે ગુજરાત સરકાર એક નવો જ પ્રયોગ કરવા રહ્યી છે. આ મુદ્દે વીજ જોડાણ અને પાણી મુદ્દે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વી જાહેરાત કરી
![ચોમાસા પહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, વીજ જોડાણ મુદ્દે કર્યો મહત્ત્વનો નિર્ણય Big announcement of state government for farmers before monsoon, Power, New & Renewable Energy minister take big decision ચોમાસા પહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, વીજ જોડાણ મુદ્દે કર્યો મહત્ત્વનો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/07/b8e2a825081ca47774745f4de179b8e5168612337066581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર:આ વર્ષે ગુજરાત સરકાર એક નવો જ પ્રયોગ કરવા રહ્યી છે. આ મુદ્દે વીજ જોડાણ અને પાણી મુદ્દે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વી જાહેરાત કરી છે.
ચોમાસા પહેલા ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારે આ વર્ષે મહત્વનો નિર્ણય કર્યો છે. વીજ જોડાણ અને પાણી મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત કરી છે. જે અતર્ગત ખેત તલાવડીઓનું પાણી ખેતીમાં વાપરવા માટે વીજ કનેક્શન અપાવનો નિર્ણય કર્યો છે. જ્યાં ખેત તલાવડી હશે, ત્યાં વીજ કનેક્શન આપવામાં આવશે. ખેત તલાવાડી માટે વીજ કનેક્શનની સાથે ડિપ ઈરિગ્રેશનની સબસીડી અને સુક્ષ્મ સિંચાઈ માટે પાંચ હેક્ટરના કનેક્શન અપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મોટી આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. વીજ કનેક્શન સામાન્ય ચાર્જથી અપાશે,અપાશે. વરસાદી પાણીનો સંગ્રહ કરનાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેનિય છે કે, ખેત તલાવડીના પાણીથી બિનપિયત વિસ્તાર પણ લીલોછમ બનશે. ખેત તલાવડી માટેના વીજ કનેક્શનથી બનાસકાંઠાને ફાયદો થશે, ઉલ્લેખનિય છે કે, ઘણા વિસ્તારમાં પાણીના સ્તર નીચે ગયા છે. ખેત તલાવડી અને હોજમાં પાણીનો સંગ્રહ થયો છે, ખેત તલાવડી માંથી પાણી મેળવવા માટે 5 હોર્શ પાવરની મોટર માટે કનેક્શન આપવામાં આવશે. આ લાંબા ગળાની યોજના છે, જે સૂક્ષ્મ સિંચાઇ યોજના અંતર્ગત આ કનેક્શન આપવામાં આવશે.
Surat: વાવાઝોડાને લઇને દક્ષિણ ગુજરાતમાં પ્રશાસન હાઇ એલર્ટ પર, મજૂરા, ઓલપાડ, ચોર્યાસીના 42 ગામોને કરાયા એલર્ટ
સુરતઃ અરબ સાગરમાં ઉત્પન્ન થયેલા બિપરજોય વાવાઝોડાને લઈને દક્ષિણ ગુજરાતમાં પ્રશાસન હાઈ એલર્ટ પર છે. સુરતમાં મજૂરા, ઓલપાડ અને ચોર્યાસીના 42 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તોફાનને લઇને માછીમારો દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
સાથે સાથે વાવાઝોડાને લઇને કંન્ટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. વાવાઝોડા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શકયતાઓ છે. ઇન્ચાર્જ કલેક્ટર બી.કે.વસાવાએ કહ્યુ હતું કે ડુમસ અને સુવાલી બીચ આગલા દિવસે બંધ કરાશે.જામનગરમાં સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. જૂના બંદર સહિત જામનગરના તમામ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ગુજરાતનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતના બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા નજીક પહોંચી શકે છે. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે બિપરજોય નામ આપ્યું છે. જો કે વાવાઝોડાની દિશાને લઈ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે. આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. મુંબઈથી લો-પ્રેશર સિસ્ટમ 1 હજાર 160 કિલોમીટર, જ્યારે ગોવાથી 920 કિલોમીટર દૂર છે. જ્યારે વાવાઝોડાને કારણે જ કેરળના દરિયા કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ હોવાનું અનુમાન છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)