શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્
ગુજરાતની વિજય રૂપાણી સરકાર રાજ્યના તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોમાં લાગી છે.
![નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્ Budget session of the Gujarat Legislative Assembly will start from નીતિન પટેલના બજેટમાં નવા કરવેરા કે પ્રજા પર બોજની શક્યતા નહિવત્](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/26161735/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ વખતના બજેટમાં કોઈ નવા કરવેરા કે પ્રજા પર બોજો લદાવાની શક્યતા નહિવત છે.
ગુજરાતની વિજય રૂપાણી સરકાર રાજ્યના તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોમાં લાગી છે. તેના પગલે બજેટમાં કોઇ ખાસ કરવેરાનું ભારણ નહીં હોય તેમ સરકારનાં સૂત્રો જમાવે છે.
જો કે રાજ્ય સરકારની આવકમાં ધરખમ ઘટાડાને કારણે યોજનાકીય ખર્ચમાં પણ અસર પડી શકે છે. જીએસટીના અમલીકરણ બાદ સરકારની આવકમાં ધરખમ ઘટાડો એ ચિંતાનો વિષય બન્યો છે. સરકારે રાખેલા લક્ષ્યાંક સામે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 12 હજાર કરોડ જેટલી આવક ઓછી થઇ છે. સરકારે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 40,610 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે માત્ર 36,298 કરોડની આવક થઇ હતી. કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીનું મળવાપાત્ર વળતર 12,841 કરોડ હતું જેની સામે કેન્દ્રએ માત્ર 8,529 કરોડ રૂપિયા જ આપ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)