શોધખોળ કરો

LOK Sabha Election 2024 Live: વિરોધ અને વિવાદની વચ્ચે ભાજપના 2 ઉમેદવારોએ છોડ્યું ચૂંટણી મેદાન

હોળીના પર્વ પહેલા લોકસભાની ગુજરાતની બેઠકનો રંગ પણ બદલાયા છે, સાબરકાંઠા અને વડોદરા બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

LIVE

Key Events
LOK Sabha Election 2024  Live: વિરોધ અને વિવાદની વચ્ચે  ભાજપના 2 ઉમેદવારોએ છોડ્યું ચૂંટણી  મેદાન

Background

Lok sabha Election 2024: ગુજરાત લોકસભાની બેઠકને લઇને આજે મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. ભાજપના 2 ઉમેદવારોએ અચાનક જ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા આ નિર્ણયને લઇને અનેક તર્ક વિતર્ક ચર્ચાઇ રહ્યાં છે. વડોદરા અને સાબરકાંઠાના બંને ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડવાનો નિર્ણય કર્યો છે.

 વડોદરા અને સાબરકાંઠાની લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારોએ આજે ચૂંટણી મેદાન છોડતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યા છે. વડોદરાથી  રંજનબેન ભટ્ટે આજે સવારે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિઇચ્છા વ્યક્ત કરી હતી તો સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

 સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

તો વડોદરા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. મીડિયા સમક્ષ આ મુદ્દે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી ન લડવાનો નિર્ણય પાર્ટીનો નથી પરંતુ મારો અંતર નિર્ણય છે. કેટલાક અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, વડોદરા માટે ભાજપે જ્યારે રંજનબેન ભટ્ટે પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે જ્યોતિ પંડ્યાએ નામનો વિરોધ કર્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતાં જ અનેક વિવાદો સર્જાયા હતા.

 

13:10 PM (IST)  •  23 Mar 2024

Lok sabha Election 2024: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ મોટું નિવેદન

“પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રંજનબેન ભટ્ટની  ચૂંટણી લડવાની અનિચ્છા બાદ મોટું નિવેદન કર્યું છે.
તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ ભાજપમાં ડરી ડરી ને કાર્ય કરી રહ્યા છે. વડોરામાં ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા થયેલો વિગ્રહ બતાવે છે કે, કાર્યકર્તા કેટલા નિરાશ છે, આજના શાસનમા બહાર આવીને ભાજપના તાનાશાહી શાસન વિશે ખુલીને બોલતા કાર્યકરો ને અભિનંદન આપું છું,પાટણ અને બનાસકાંઠા ના કોંગ્રેસ ના જંજાવતી પ્રચાર જોઈને ભાજપના પગ નીચેથી જમીન નીકળી ગઇ છે”

13:05 PM (IST)  •  23 Mar 2024

Loksabha 2024: ભાજપ આવતીકાલથી શરુ કરશે લાભાર્થી સંપર્ક અભિયાન

લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠક સાથે જીતની હેટ્રીકના જીતના સંકલ્પ આગળ વધારવા ભાજપ લાભાર્થી સંપર્ક અભિયાન શરુ કરવા જઈ રહ્યુ છે. આવતીકાલે સવારે નવ વાગ્યે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં વૃંદાવન આવાસ પહોંચી મુખ્યમંત્રી અભિયાનની શરુઆત કરાવશે... આ અભિયાન અંતર્ગત ડબલ એન્જિનની સરકારથી નાગરિકોને મળેલા લાભ અંગે સંવાદ થશે... ખુદ મુખ્યમંત્રી લાભાર્થીઓને મળી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરશે. સ્વાભાવિક રીતે ઉજવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓથી અનેક નાગરિકોને લાભ મળ્યો છે અને તે જ મુદ્દો આ ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે મહત્વનો રહેશે

13:03 PM (IST)  •  23 Mar 2024

Loksabha 2024: ભરૂચ લોકસભા બેઠક પર રાજનીતિ ચરમસીમા પર, પોસ્ટથી રાજનીતિ ગરમાઈ

ભરૂચ લોકસભા બેઠક પર એક પોસ્ટના કારણે રાજનિતી ગરમાઇ છે. સાંસદ મનસુખ વસાવાની પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે. AAPના નેતાઓ ઉઘરાણી કરતા હોવાની મનસુખ વસાવાની પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે.  તેમણે આક્ષેપ કર્યો છે કે આપના નેતા  હોળીના બહાને અધિકારીઓ અને કોન્ટ્રોક્ટરનો ધમકાવીને રૂપિયા પડાવે છે

12:58 PM (IST)  •  23 Mar 2024

Loksabha 2024: અરવલ્લી ભાજપે ઉતાર્યા ભીખાજીના પોસ્ટરો,

આજે સાબરકાંઠાના લોકસભાના બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. તેમણે અંગત કારણોસર આ નિર્ણય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ નિર્ણય બાદ અરવલ્લી કમલમ કાર્યાલયથી ભીખાજીના પોસ્ટરોને ઉતારવામાં આવ્યાં છે.

12:55 PM (IST)  •  23 Mar 2024

Loksabha 2024: ભાજપ આજે સાંજે જ નક્કી કરશે બાકીની બેઠકોના ઉમેદવાર

લોકસભાની ચૂંટણીને લઇને  બાકી રહેલી બેઠક પર મંથન ચાલુ છે.  ત્યારે આજે સાંજે ભાજપ CECની દિલ્લીમાં બેઠક  યોજાશે, બાકીની 6 બેઠક પર આ  મુદ્દે  ચર્ચા થઇ શકે છે. બે બાદ વધુ ઉમેદવાર બદલાવાની ચર્ચાએ પણ જોર પક્યું છે. બનાસકાંઠા, આણંદમાં ઉમેદવારો બદલાવાની વાત પણ હાલ ચર્ચાઇ રહી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget