શોધખોળ કરો

બનાસકાંઠામાં ધમાકેદાર જીત બાદ ગેનીબેનનું વતનમાં ઘોડા પર બેસાડી ભવ્ય સ્વાગત

કૉંગ્રેસના નેતા અને બનાસકાંઠા બેઠક પરથી  ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. ગેનીબેન ઠાકોરે  ભાજપની જીતની હેટ્રિક રોકી દિધી છે.

બનાસકાંઠા: કૉંગ્રેસના નેતા અને બનાસકાંઠા બેઠક પરથી  ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. ગેનીબેન ઠાકોરે  ભાજપની જીતની હેટ્રિક રોકી દિધી છે. ગેનીબેનની બનાસકાંઠા બેઠક પરથી જીતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ચૂંટણી પરિણામ બાદ ગેનીબેન ઠાકોર પોતાની જીતની ઉજવણી કરી રહ્યા છે. ગેનીબેનના વતન અબાસણા ગામે તેઓ જીત બાદ પ્રથમ વખત  આવ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસદ ગેનીબેન ઠાકોરનું પોતાના માદરે વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગેનીબેને અહીં વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. ગેનીબેન ઠાકોરે વતનમાં  આવી  સૌપ્રથમ જન્મભૂમીને નમન કર્, બાદમાં પિતાના આશીર્વાદ લીધા હતા. સમગ્ર ગામમાં ગેનીબેનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગેનીબેન વતન પહોંચતા જ ગામના લોકોએ તેમના પર વ્હાલ વરસાવ્યો હતો. ગામલોકોએ ગેનીબેનને ઘોડા પર બેસાડ્યા અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. 

સાંસદ ગેનીબેન ઠાકરે જીતની રેલીમાં તેમણે  લોકસભા બેઠકમાં જીત સુધીના સંઘર્ષની વાતો કરી હતી. કઈ રીતે તેઓ મધ્યમ વર્ગના પરિવારના સંઘર્ષ સાથે અહીં પહોંચ્યા તેના વિશે વાત કરી.  આ સાથે કહ્યું કે, “ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની જેમ બનાસકાંઠાની જનતાની રક્ષા માટે હંમેશા  તત્પર રહીશ.”

લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયરથને એકલે હાથે રોકનારાં ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. ગેનીબેન બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારથી જ ચર્ચામાં હતા. ગુજરાતના તમામ લોકોની નજર આ બેઠક પર હતી. સામાન્ય લોકો પણ બનાસકાંઠા બેઠકનું પરિણામ જાણવા માટે ઉત્સુક હતા. છેલ્લે સુધી ભાજપના રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે સાંજ સુધી કાંટે કી ટક્કર બાદ અંતે 30 હજારથી વધુ મતોની ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. આ બનાસકાંઠા બેઠક સમગ્ર દેશમાં ચર્ચામાં કેંદ્ર બની હતી.   

બનાસકાંઠામાં કૉંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. જેનાથી ભાજપનો વિજયરથ અટકી ગયો અને ગુજરાતમાં ક્લિન સ્વિપનું સપનું પણ રોળાયું. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી પરાજિત કર્યા હતા.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
          
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget