શોધખોળ કરો

પેટાચૂંટણી બાદ કોંગ્રેસમાં ધરખમ ફેરફારના સંકેત: નીતિન રાણપરિયા બોલ્યા - "લગ્નના ઘોડાને બહાર કઢાશે"

હાર છતાં કોંગ્રેસમાં આંતરિક સુધારાનો વિશ્વાસ; રાણપરિયાએ વ્યક્ત કર્યો આશાવાદ કે આ પરિણામ પક્ષમાં નવી દિશા ખોલશે.

Nitin Ranpariya statement: જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારનો સામનો કરનાર નીતિન રાણપરિયાએ પરિણામો બાદ એક મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન આપ્યું છે. તેમણે ભલે ચૂંટણી હારી હોય, પરંતુ પક્ષના ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આજના પરિણામ પછી લગ્નના ઘોડાને બહાર કઢાશે."

રાણપરિયાના આ નિવેદનનો અર્થ એ છે કે, વિસાવદર પેટાચૂંટણીના પરિણામો ભલે કોંગ્રેસ માટે સંતોષજનક ન રહ્યા હોય, પરંતુ આ પરિણામો પક્ષમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મોટા ફેરફારો અને આંતરિક સુધારા માટે નિમિત્ત બનશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસમાં મોટા ફેરફાર થશે."

રાણપરિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પેટાચૂંટણીના નબળા દેખાવની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ, બંને આ તાજેતરના પરિણામોને ગંભીરતાથી લઈ રહ્યા છે અને પક્ષના સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા માટે કટિબદ્ધ છે.

રાણપરિયાના શબ્દો એવો સંકેત આપે છે કે કોંગ્રેસ હવે માત્ર આત્મનિરીક્ષણ જ નહીં, પરંતુ વાસ્તવિક સુધારાત્મક પગલાં ભરશે, જેથી ભવિષ્યની ચૂંટણીઓમાં વધુ સારો દેખાવ કરી શકાય. "લગ્નના ઘોડાને બહાર કઢાશે" એ કદાચ પક્ષમાં નવા નેતૃત્વ, નવી રણનીતિઓ અને વધુ ગતિશીલ અભિગમ અપનાવવાનો સંકેત પણ હોઈ શકે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ, શક્તિસિંહ ગોહિલે આજે સ્પષ્ટતા કરી કે તેમનું આ પગલું વ્યક્તિગત જવાબદારી સ્વીકારવાનું પરિણામ છે, અને તેઓ કોઈને મનાવવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી કરવા માંગતા નહોતા. તેમણે જણાવ્યું કે, "હું નહોતો ઈચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટી (નૈતિક જવાબદારી) ની પરંપરા રહી છે."

ગોહિલે જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ અંગે વાત કરતા કહ્યું કે, જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળવામાં આવી હતી. AICC (ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી) એ તમામ સારા ઉમેદવારોને સાંભળ્યા, જે બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે, "ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યા છે."

તેમણે સ્વીકાર્યું કે, "પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોઈ શકે છે," પરંતુ ભારપૂર્વક કહ્યું કે, "શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે." ભાવનગરમાં પણ જે નામો આવ્યા તે કાર્યકરોની સર્વસંમતિથી જ આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.

ગોહિલે કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામોને "આઘાતજનક" ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, "બેમાંથી એક સીટ પણ મળી હોત તો પણ સારું લાગત." આ પરિણામોની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું આપ્યું.

તેમણે પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભવિષ્યની રણનીતિ અંગે તેમણે જણાવ્યું કે, "ત્રણ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જે બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે." શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસના એક સામાન્ય સિપાહી તરીકે હંમેશા કામ કરતા રહેશે. "પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે, હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. મેં બેવડા ધોરણો સાથે રાજનીતિ કરી નથી," તેમ કહી તેમણે પોતાના રાજકીય સિદ્ધાંતોને ફરી એકવાર દોહરાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતમાં હજુ 7 દિવસ કમોસમી વરસાદ ભૂક્કા બોલાવશે, આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા
ગુજરાતમાં હજુ 7 દિવસ કમોસમી વરસાદ ભૂક્કા બોલાવશે, આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા
ગુજરાતના મહેસૂલ વિભાગમાં સપાટો: 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી, 80 ની બદલી
ગુજરાતના મહેસૂલ વિભાગમાં સપાટો: 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી, 80 ની બદલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget