શોધખોળ કરો

રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે

Gujarat Weather Update: વાવાઝોડાની અસરના ભાગરૂપે કચ્છ જિલ્લામાં માત્ર છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Cyclone threat averted Gujarat: ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો હવે ટળી ગયો છે. અસનું વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે, જેના કારણે રાજ્યમાં મોટી રાહત અનુભવાઈ રહી છે.

વાવાઝોડાની અસરના ભાગરૂપે કચ્છ જિલ્લામાં માત્ર છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જોકે, અગાઉના ભારે વરસાદની અસર હજુ પણ જોવા મળી રહી છે.

માંડવી તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયા બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. આવી જ સ્થિતિ અબડાસા સહિતના દરિયાકાંઠાના તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે. સેંકડો રોડ અને રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. દરિયાકાંઠાના અનેક ગામો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે.

કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી કટોકટી પરિસ્થિતિને પગલે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક સ્તરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સ્થળાંતર અને રાહત કાર્ય:

3000થી વધુ લોકોનું સ્થળાંતર

સ્થળાંતરિતો માટે ભોજન પેકેટની વ્યવસ્થા

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ ઓછો થતાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે

બચાવ કામગીરી:

માંડવીમાં સેના અને NDRF દ્વારા બચાવ કાર્ય

અબડાસામાં રેસ્ક્યૂ ટીમ તૈનાત

નુકસાન:

એક વ્યક્તિનું મૃત્યુ

બે વ્યક્તિ લાપતા

પ્રભાવિત વિસ્તારો:

માંડવી, અબડાસા અને લખપત વિસ્તારોમાં વાવાઝોડાની વધુ અસર

અબડાસામાં હજુ પણ પાણી ભરાયેલા

શૈક્ષણિક સંસ્થાઓ:

આવતીકાલે કચ્છની શાળાઓમાં રજા જાહેર

વીજળી અને સંચાર:

PGVCL અને UGVCL દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી

માંડવી અને અબડાસામાં પાણી ઓસર્યા બાદ જ વીજ પુરવઠો શરૂ થશે

મોબાઈલ નેટવર્કની સમસ્યા આજે અથવા આવતીકાલ સુધીમાં હલ થવાની આશા

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. નાગરિકોને સાવચેત રહેવા અને સત્તાવાળાઓના સૂચનોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ડિપ ડિપ્રેશન સિસ્ટમ આજે સાંજ સુધીમાં વધુ મજબૂત બનીને સાયક્લોન સ્ટોર્મમાં પરિવર્તિત થશે. આ સાયક્લોનને 'અસના' નામ આપવામાં આવશે, જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. ગોસ્વામીએ જણાવ્યું કે આ સાયક્લોન અત્યાર સુધીના સૌથી ટૂંકા આયુષ્યવાળા વાવાઝોડા તરીકે નોંધાશે. તેમના અનુમાન મુજબ, આ વાવાઝોડું માત્ર 6 થી 10 કલાકમાં જ બનીને વિખેરાઈ જશે. ગુજરાતના લોકો માટે રાહતની વાત એ છે કે આ સાયક્લોન રાજ્યને કોઈપણ રીતે અસર કરશે નહીં. હાલમાં, આ સિસ્ટમ કચ્છથી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે. હવામાન વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ અપડેટ્સ આપશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, જોકે કોઈ મોટા ખતરાની શક્યતા નથી.

આ પણ વાંચોઃ

48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણAmbaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy Rain

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"જો કમળનું પાટીયું હટી ગયું તો કોઈ ઓળખશે પણ નહીં.." – ભાજપના ધારાસભ્યની કાર્યકર્તાઓને ધમકીભર્યા શબ્દોમાં....
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
CCI Report: એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે સેમસંગ અને શાઓમીની મિલીભગત, ગ્રાહકોને આ રીતે ચૂનો ચોપડી રહ્યા છે
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ
ભારતના આ રાજ્યમાં સૌથી વધુ લોકો રહે છે ખુશ, જાણો આખરે શું છે કારણ
Embed widget