![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Navsari: લોભમણી લાલચમાં પરિવારે કરોડો રુપિયા ગુમાવ્યા, ફાઈનાન્સ કંપનીના સંચાલક સહિત ચાર ઝડપાયા, જાણો વિગતો
લોભામણી લાલચમાં આવી અનેક લોકો નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જેના કિસ્સા વારંવાર પ્રકાશ માં આવતા રહે છે.
![Navsari: લોભમણી લાલચમાં પરિવારે કરોડો રુપિયા ગુમાવ્યા, ફાઈનાન્સ કંપનીના સંચાલક સહિત ચાર ઝડપાયા, જાણો વિગતો Fraud of crores of rupees with family in Navsari Navsari: લોભમણી લાલચમાં પરિવારે કરોડો રુપિયા ગુમાવ્યા, ફાઈનાન્સ કંપનીના સંચાલક સહિત ચાર ઝડપાયા, જાણો વિગતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/2dd578a67a3f04af129e473f980b58f2170480549445178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવસારી: લોભામણી લાલચમાં આવી અનેક લોકો નાણાકીય છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જેના કિસ્સા વારંવાર પ્રકાશ માં આવતા રહે છે. ત્યારે નવસારી શહેરમાં ફાઇનાન્સ કંપની શરૂ કરી લોકોના કરોડો રૂપિયા ડુબાડી દેવાનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે. હાલ પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક સહિત ચારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બેંક કરતા વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી
નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી ફિનવેકસ નિધિ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી હતી. બેંક કરતા વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી આ ભેજાબાજે લોકો પાસે થાપણ લેવાની શરૂઆત કરી હતી. કલ્પેશ કોઠારીની આ લોભામણી સ્કીમમાં લોકો આવવા લાગ્યા અને કોઠારીને કરોડો રૂપિયાની થાપણ મળવા લાગી. બાદમાં કોઠારીએ રિઝર્વ બેંકની કોઈપણ નોંધણી વગર જ બેંક જેવા કારોબારની શરૂઆત કરી નાખી અને ડેઇલી રિકરિંગ, ગોલ્ડ લોન, હોમ લોન વગેરે પણ કંપની આપશે તેવી જાહેરાત કરવાની શરૂઆત કરી હતી.
કંપનીના શેર આપી ભાગીદાર બનાવવાની પણ લાલચ આપી
જેને લઇ રોકાણકારો આકર્ષાયા અને એક જ પરિવારના 26 જેટલા સભ્યોએ કોઠારીની પદ્માવતી ફિનાવેક્સ નિધિ લિમિટેડ કંપની માં 2,37,22,000નું માતબર રોકાણ કર્યું હતું. આ રોકાણકારોને કંપનીના શેર આપી ભાગીદાર બનાવવાની પણ લાલચ કોઠારીએ આપી હતી. પરંતુ સમય જતાં રોકાણકારોએ પાકતી મુદ્દત પ્રમાણે મૂળ રકમ અને નફાની રકમ માંગણી કરી હતી. ત્યારે ભેજાબાજ કલ્પેશ કોઠારીએ તેનો મૂળ રંગ બતાવ્યો અને રૂપિયાની ચુકવણી અંગે વાયદાઓ કરવા લાગ્યો. જોકે આખરે આ મામલામાં રોકાણકારોને છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
રોકાણકારોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં કલ્પેશ કોઠારી સહિત કંપનીના 5 કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ સોંપાઈ હતી. જે તપાસમાં પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારીની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ વધુ રોકાણકારો પોલીસ સમક્ષ પહોંચ્યા હતા. જે રોકાણકારો એ પણ પોતાના પુરાવાઓ રજૂ કરતાં પદ્માવતી ફિનવેકસ દ્વારા આચરવામાં આવેલ છેતરપિંડીનો આંકડો રૂપિયા 3,08,87,240 ઉપર પહોચ્યો છે. હાલ પોલીસે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)