શોધખોળ કરો

Gandhinagar: હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કરાશે જ્ઞાન સહાયકની ભરતી, જાણો ક્યારથી કરી શકાશે અરજી?

Gandhinagar: સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Gandhinagar:  પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આગામી 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓન લાઈન અરજી કરી શકશે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)"ની ભરતી કરવામાં આવશે. ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર આપેલી  જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ રીતે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તે દરમિયાન ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ ચકાસણી માટે ઓરિજનલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઇન અરજી આઠ ડિસેમ્બર 2023થી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે.

સુરતમાં પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકો 9મીએ પદયાત્રા કરશે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. બાદમાં પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી​​​​​​​ જશે. આગામી નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી શિક્ષકો વિરોધ નોંધાવશે.

પંચમહાલમાં 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે. ગોધરામાં 9 ડિસેમ્બરે જૂની પેન્શન મુદ્દે મહાપંચાયત યોજવામાં આવશે. 3 જિલ્લાના 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં સામેલ થશે. પંચમહાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા ગુજરાતના મંત્રીઓની કમિટી સાથે થયેલા સમાધાનના હજી સુધી ઠરાવ ન થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરીવાર પદયાત્રાથી મહાપંચાયત સુધીનો અનોખો આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
TATA Sieraa બુકીંગ આજથી શરુ, જાણો કિંમત અને ક્યારે મળશે કારની ડિલીવરી 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
Post Office માં ₹10,00,000 જમા કરવા પર ₹4,49,034 મળશે વ્યાજ, ફુલ ગેરંટી સાથે, જાણી લો સ્કીમ 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
રાતો-રાત વધશે તમારા Instagram ફોલોઅર્સ! એક્સપર્ટની આ ટ્રિક જાણી લો તો રોકેટની જેમ થશે ગ્રોથ
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Embed widget