શોધખોળ કરો

Gandhinagar: હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કરાશે જ્ઞાન સહાયકની ભરતી, જાણો ક્યારથી કરી શકાશે અરજી?

Gandhinagar: સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Gandhinagar:  પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આગામી 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓન લાઈન અરજી કરી શકશે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)"ની ભરતી કરવામાં આવશે. ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર આપેલી  જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ રીતે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તે દરમિયાન ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ ચકાસણી માટે ઓરિજનલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઇન અરજી આઠ ડિસેમ્બર 2023થી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે.

સુરતમાં પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકો 9મીએ પદયાત્રા કરશે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. બાદમાં પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી​​​​​​​ જશે. આગામી નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી શિક્ષકો વિરોધ નોંધાવશે.

પંચમહાલમાં 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે. ગોધરામાં 9 ડિસેમ્બરે જૂની પેન્શન મુદ્દે મહાપંચાયત યોજવામાં આવશે. 3 જિલ્લાના 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં સામેલ થશે. પંચમહાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા ગુજરાતના મંત્રીઓની કમિટી સાથે થયેલા સમાધાનના હજી સુધી ઠરાવ ન થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરીવાર પદયાત્રાથી મહાપંચાયત સુધીનો અનોખો આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
Advertisement

વિડિઓઝ

Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
પુતિનની ભારત મુલાકાતનું શિડ્યૂલ જાહેર, જાણો PM મોદી ઉપરાંત કોને કોને મળશે રશિયન રાષ્ટ્રપતિ
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
35 kmpl માઇલેજ,સનરૂફ અને 6 એરબેગ સાથે ટૂંક સમયમાં આવી રહી છે નવી Hybrid SUVs, જાણો ફીચર્સ અને કીંમત
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હવે માત્ર એક ક્લિકમાં થઈ જશે અપડેટ, UIDAI એ આપી મહત્વની જાણકારી
Embed widget