શોધખોળ કરો

વીંછીયા કોળી સંમેલનમાં રાજકીય ગરમાવો: ગેનીબેન ઠાકોર સહિત અગ્રણીઓ હાજર, કુંવરજીભાઈની ગેરહાજરી ચર્ચામાં

સંમેલનમાં નેતાઓની હાજરી વચ્ચે ચંદ્રવદન પીઠવાલાના સવાલો: 'સંગઠન માટે કે સ્વાર્થ માટે?', યુવાનો પરના કેસ પાછા ખેંચવાની માંગણી ઉગ્ર બની.

Vinchiya Koli Sammelan 2025: રાજકોટ જિલ્લાના વીંછીયામાં યોજાયેલ કોળી સમાજના મહાસંમેલનમાં રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને પૂંજાભાઈ વંશ સહિતના અગ્રણી નેતાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે, રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા હતા.

ગેનીબેન ઠાકોરે કુંવરજીભાઈની ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સંમેલન સમાજનું છે અને જો તેઓ હાજર રહ્યા હોત તો સારું થાત. તેમણે પાટીદાર સમાજના યુવાનોના કેસ જે રીતે પાછા ખેંચાયા હતા, તે જ રીતે કોળી સમાજના યુવાનો પરના કેસ પણ પાછા ખેંચવાની માંગણી કરી હતી.

બીજી તરફ, કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠવાલાએ સંમેલનના હેતુ અને દિશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સંમેલન સમાજના સંગઠન માટે છે કે કોઈના અંગત સ્વાર્થને સાધવા માટે, તે એક મુંઝવણ છે. પીઠવાલાએ કોળી સમાજના પ્રશ્નોને જાહેરમાં ચર્ચવા સામે પણ અણગમો વ્યક્ત કર્યો હતો અને ચેતવણી આપી હતી કે, આમ કરવાથી સમાજનું સંગઠન તૂટી શકે છે.

પીઠવાલાએ સંમેલનના નેતાઓને પ્રશ્ન કર્યો હતો કે તેઓ માત્ર વીંછીયાને જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં અન્ય ઘણા મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે, કેટલાક લોકો રાજકારણમાં ઉપર આવવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે અને કુંવરજીભાઈ બાવળીયાની લોકપ્રિયતાને ઓછી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વીંછીયામાં કોળી સમાજના મહાસંમેલનમાં અનેક માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં વસ્તી આધારિત બંધારણીય હક્ક આપવા, 38 ટકા વસ્તી ધરાવતા કોળી-ઠાકોર સમાજને વોટ બેંક ન સમજવા, સમાજનું શોષણ બંધ કરવા, સ્વ. ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય કરવા, અને 83થી વધુ યુવકો પર થયેલા હત્યાના પ્રયાસના કેસ પરત ખેંચવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. સંમેલનમાં કોળી સમાજના સૌરાષ્ટ્રના સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ અને કોંગ્રેસ નેતા અવચર નાકીયા જેવા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સંમેલનમાં વીંછીયામાં થયેલ પથ્થરમારાના કેસો પરત ખેંચવા, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવા, બહેન-દીકરીઓ પર અત્યાચાર બંધ કરવા, સમાજના યુવાનોની હત્યા બંધ કરવા અને સમાજને સંપૂર્ણ બંધારણીય હક આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાંથી કોળી અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાયા હતા.

આ પણ વાંચો....

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget