![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત, મહાનગરો પછી હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકો મરવા માંડ્યા
અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા હતા. જોકે, હવે ગામડાઓમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. ગઈ કાલે થયેલા મોતના આંકડા જોઇએ તો 35માંથી 17 લોકોના મહાનગરોમાં મોત નીપજ્યા છે.
![Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત, મહાનગરો પછી હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકો મરવા માંડ્યા Gujarat Corona : 35 persons died from corona in last 24 hours in Gujarat, 18 people died in Rural area Gujarat Corona : છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત, મહાનગરો પછી હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકો મરવા માંડ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/29/48feadf15abf6f790971251b914ff8b4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં મોટો ઘટાડો આવ્યો છે, પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યું છે. અત્યાર સુધી મહાનગરોમાં કોરોનાથી મૃત્યુ થઈ રહ્યા હતા. જોકે, હવે ગામડાઓમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. ગઈ કાલે થયેલા મોતના આંકડા જોઇએ તો 35માંથી 17 લોકોના મહાનગરોમાં મોત નીપજ્યા છે. આ સિવાયના 18 લોકોના મોત અન્ય વિસ્તારોમાં થયા છે.
પાંચ દિવસના મોતના આંકડા
31મી જાન્યુઆરીએ 35માંથી 17 મહાનગર અને 18 અન્ય વિસ્તારોમાં મોત
30મી જાન્યુઆરીએ 30માંથી 18 લોકોના મહાનગરોમાં અને 12 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
29મી જાન્યુઆરીએ 33માંથી 19 લોકોના મહાનગરોમાં અને 14 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
28મીએ 30માંથી 18 લોકોના મહાનગરોમાં અને 12 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
27મીએ 22 લોકોમાંથી 15 લોકોના મહાનગરોમાં અને 7 લોકોના અન્ય વિસ્તારોમાં મોત નીપજ્યા હતા.
ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશન 2, વડોદરા 1, રાજકોટ 1, મહેસાણા 1, સુરત 5, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર કોર્પોરેશન 2, વલસાડ 1, પંચમહાલ 2, અમરેલી 1, ભાવનગર 3, પોરબંદર 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 6679 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 83793 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 265 લોકો વેન્ટીલેટર પર છે. 83528 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1066393 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10473 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 14171 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.88 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 35 મોત થયા. આજે 2,46,397 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2350, વડોદરા કોર્પોરેશનમાં 809, રાજકોટ કોર્પોરેશનમાં 602, ગાંધીનગર કોર્પોરેશનમાં 288, સુરત કોર્પોરેશનમાં 277, વડોદરા 236, કચ્છ 211, રાજકોટ 175, પાટણ 146, મહેસાણા 144, સુરત 141, મોરબી 135, જામનગર કોર્પોરેશન 113, ગાંધીનગર 104, બનાસકાંઠા 96, નવસારી 89, ભરુચ 79, ભાવનગર કોર્પોરેશનમાં 76, ખેડા 72, વલસાડ 65, પંચમહાલ 58, અમદાવાદ 49, અમરેલી 45, આણંદ 44, દાહોદ 33, ગીર સોમનાથ 30, સાબરકાંઠા 29, જૂનાગઢ કોર્પોરેશન 26, તાપી 26, સુરેન્દ્રનગર 22, જામનગર 21, જૂનાગઢ 21,નર્મદા 16, છોટા ઉદેપુર 15, મહીસાગર 9, ભાવનગર 8, પોરબંદર 8, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 3, અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 31 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 784 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5439 લોકોને પ્રથમ અને 15786 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22824 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 62094 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 26944 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 64488 15-18 વર્ષ સુધીનાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 48007 લોકોને અપાયો છે. આજે કુલ 2,46,397 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,79,33,236 લોકોને રસી અપાઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)