![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા, 8 દર્દીઓના થયા મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,919 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,08,013 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
![Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા, 8 દર્દીઓના થયા મોત Gujarat Corona Cases: 293 new cases of corona reported in last 24 hours in Gujarat Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા, 8 દર્દીઓના થયા મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/19/ca1cb835aaad6cf5b7a5a7874629597e_3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 293 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2942 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 34 લોકો વેન્ટીલેટર પર છે. 2908 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,08,013 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,919 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 8 લોકોના મોત થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 30, વડોદરા 23, રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરતમાં 10, બનાસકાંઠામાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, મોરબીમાં 8, સુરત કોર્પોરેશનમાં 7, દાહોદમાં છ, મહેસાણામાં છ, પાટણમાં છ, અરવલ્લીમાં પાંચ, ખેડામાં પાંચ, રાજકોટમાં પાંચ, સુરેન્દ્રનગરમાં પાંચ, અમરેલીમાં ચાર, આણંદમાં ચાર, ડાંગમાં ચાર, ગાંધીનગરમાં ચાર, તાપીમાં ચાર, વલસાડમાં ચાર, અમદાવાદમાં ત્રણ, સાબરકાંઠામાં 3, પંચમહાલમાં બે, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન અને નવસારીમાં એક-એક કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
બીજી તરફ આજે 293 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.87 ટકાએ પહોંચ્યો છે. આજે 1,15,002 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 8 લોકોના મોત થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામાં બે, સુરતમાં એક, ગાંધીનગરમાં એક, તાપીમાં એક, અને જામનગરમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ અને 48 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2721 ને પ્રથમ અને 5830 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11,105 ને પ્રથમ અને 34,506 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4558 ને પ્રથમ અને 42,023 ને બીજો ડોઝ અપાયો હતો. 14,202 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,15,002 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,27,29,664 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)