![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા 4213 નવા કેસ
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે
![Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા 4213 નવા કેસ Gujarat Corona Cases: 4213 new cases reported in the last 24 hours in the state Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના થયો બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં જ નોંધાયા 4213 નવા કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/a64569899d7bf69d706b9d086d75fba7_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 860 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,20,383 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.10 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1 મોત થયા છે. આજે 5,01,409 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1835 , સુરત કોર્પોરેશનમાં 1105, વડોદરા કોર્પોરેશનમાં 103 , રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, સુરતમાં 88, કચ્છમાં 77, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 32, જામનગર કોર્પોરેશનમાં 30, જૂનાગઢ કોર્પોરેશનમાં 30, અમદાવાદમાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્વારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરામાં 13, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, જામનગરમાં ત્રણ, ભાવનગરમાં બે, જૂનાગઢમાં બે નવા કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 14,346 કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 14,317 નાગરિકો સ્ટેબલ છે. 8,20,383 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10127 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે તાપીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 270 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9303 લોકોને પ્રથમ અને 30053 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,13,993 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 82,339 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,64,433 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,01,409 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,23,36,392 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. બોટાદ, ડાંગ, પાટણમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)