શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gujarat Corona Update: રાજ્યમાં આજે કયા જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ ? જાણો વિગત
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1075 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે.
![Gujarat Corona Update: રાજ્યમાં આજે કયા જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ ? જાણો વિગત gujarat corona update know in which district not registered single covid 19 case today Gujarat Corona Update: રાજ્યમાં આજે કયા જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/19034040/covid19-recovery.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ તસવીર
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1075 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4220 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12360 એક્ટિવ કેસ છે, જ્યારે 2,16,683 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12296 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,33,263 પર પહોંચી છે.
રાજ્યમાં આજે વલસાડ, તાપી અને ડાંગમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નહોતો. વલસાડમાં આજે ચાર લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે તાપીમાં પાંચ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 1, પોરબંદરમાં 1, નવસારીમાં 2, ભાવનગરમાં 4,ગીર સોમનાથ 6, દેવભૂમિ દ્વારકા 6, બોટાદ 6 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 221 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1155 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,16,683 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)