શોધખોળ કરો

Gujarat Corona vaccination: ગુજરાતમાં કોરોનાની રસીની અછત, લોકો વેક્સીનેશન સેન્ટરના ધક્કા ખાવા મજબૂર

21 જૂનથી કોરોના વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં વેક્સિનેશનના જથ્થાની અછતને લઇને અનેક નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

LIVE

Key Events
Gujarat Corona vaccination: ગુજરાતમાં કોરોનાની રસીની અછત, લોકો વેક્સીનેશન સેન્ટરના ધક્કા ખાવા મજબૂર

Background

અમદાવાદઃ 21 જૂનથી કોરોના વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં વેક્સિનેશનના જથ્થાની અછતને લઇને અનેક નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી વેક્સીનેશનને લઇને લોકો હાલાકીનો સામનો  કરી રહ્યા છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કોરોના વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો હતો તો ક્યાંક વેક્સીન સેન્ટર બહાર વેક્સીન  ન  હોવાના બોર્ડ લાગ્યા હતા.

17:43 PM (IST)  •  28 Jun 2021

વડોદરામાં પણ વેક્સીન માટે લોકોની લાંબી લાઇન

વડોદરામાં પણ કોરોના વેક્સીન લેવા માટે લોકોની લાઇન જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા વેકસીન ના ડોઝ ઓછા મળી રહ્યા હોવાના કારણે 260 માંથી 160 વેકસીન કેન્દ્રો બંધ રહ્યા હતા. શહેરમાં 260 કેન્દ્રો અને રોજના 26000 લોકોને વેકસીન અપાશેની જાહેરાત તો કરાઈ પણ રાજ્ય સરકાર તરફથી વેકસીનનો યોગ્ય સ્ટોક નહીં મળતા જાહેરાતના બીજા જ દિવસથી 100 થી નીચે જ વેકસીન સેન્ટરો ખુલ્યા છે. પ્રતિ દિન 160 જેટલા વેકસીન સેન્ટર બંધ રહે છે, વડોદરાને વેકસીન ઓછા મળી રહ્યા છે જેને કારણે શહેરના અનેક વિસ્તારમાં વેકસીન મુકાવવા ગયેલા લોકો પરત ફર્યા છે

17:38 PM (IST)  •  28 Jun 2021

વેપારીઓને કોરોના વેક્સીન 30 જૂન સુધીમાં લગાવી ફરજિયાત

સરકારે 25 તારીખે જાહેરનામુ બહાર પાડ્યુ હતું કે તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળોએ માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી તો તેઓ પોતાની માલિકીની જગ્યા ચાલુ રાખી શકશ નહિ.પરંતુ કેટલાક વેપારીઓ છે જેમણે વેક્સિન માટે ધક્કા ખાવા પડ્યા છે. વેપારીઓનું કહેવું છે કે વેક્સિન લેવા માટે ગયા પરંતુ વેક્સિનનો ડોઝ નથી તેવું કહેવામાં આવે છે. અમે અમારી દુકાનો બંધ કરીને વેક્સિન માટે જતા હોઈએ છે. જેનાથી ધંધાને પણ નુકસાન થાય છે.

17:34 PM (IST)  •  28 Jun 2021

વલસાડમાં પણ મોટાભાગના વેક્સિનેશન સેન્ટર બંધ રહ્યા

વલસાડમાં પણ વેક્સિનેશન કામગીરી ધીમી પડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ વેપારીઓ માટે 30  જૂન સુધીમાં કોરોનાની વેક્સિન  ફરજિયાત લેવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. એવામાં આજે વલસાડમાં મોટાભાગના વેક્સિનેશન સેન્ટર બંધ રહ્યા. જેનું કારણ હતું કોવિશિલ્ડ વેકસીનનો અપૂરતો જથ્થો. ત્યારે સવાલ એ છે કે વેપારીઓ માટે વેક્સિન લેવાની અંતિમ તારીખ 30 જૂન છે.

17:29 PM (IST)  •  28 Jun 2021

વેક્સીન લેવા લોકોને ખાવા પડી રહ્યા છે ધક્કા

અમદાવાદમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેક્સીનને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ પણ વેક્સીન લેવા માટે ધક્કા ખાવી પડી રહ્યા છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યાં હોવાથી લોકોને વેક્સિન લેવામાં હાલાકી ભોગવવી પડી રહી છે.

17:25 PM (IST)  •  28 Jun 2021

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેકસીનની કામગીરી અંગે તેઓએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર માત્ર પબ્લિસિટી અને ફોટોસેશન માટે કામ કરે છે. લોકોના આરોગ્યની ભાજપની સરકારને કોઈ ચિંતા નથી. 21 જુનથી રસીકરણ અંગેના મહાઅભિયાનની જાહેરાત કરીને હોર્ડિંગ લગાવ્યા. છેલ્લા એક અઠવાડિયાથી લોકો રસીકરણ કેન્દ્ર પર ધક્કા ખાય છે પરંતુ વેકસીન મળતી નથી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget