![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dwarka : કેજરીવાલની સભામાં ઉમટી પડી જનમેદની, ખેડૂતો માટે કરશે જાહેરાત
દ્વારકા એન ડી એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલનું આગમન થયું છે. જાહેર સભામાં મોટી માનવ મેદની વચ્ચે કેજરીવાલે અભિવાદન કર્યું. ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત છે.
![Dwarka : કેજરીવાલની સભામાં ઉમટી પડી જનમેદની, ખેડૂતો માટે કરશે જાહેરાત Gujarat Election : Delhi CM Arvind Kejriwal rally in Dwarka, today may big announcement for farmers Dwarka : કેજરીવાલની સભામાં ઉમટી પડી જનમેદની, ખેડૂતો માટે કરશે જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/f91699034c4279d3aa58b86cc097731d166211244756673_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dwarka : દ્વારકા એન ડી એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલનું આગમન થયું છે. જાહેર સભામાં મોટી માનવ મેદની વચ્ચે કેજરીવાલે અભિવાદન કર્યું. ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત છે. વિધાનસભા દ્વારકા /કલ્યાણપુર બેઠક સર કરવા દ્વારકા માં જાહેર સભા. સાંજે 5 વાગે દ્વારકા જગત મંદિરે દર્શન કરશે કેજરીવાલ.
કેજરીવાલજીની જનસભામાં જોવા મળ્યો ગુજરાતીઓનો ભરપૂર ઉત્સાહ!#KejriwalNiKhedutGuarantee pic.twitter.com/zTla5f9rTE
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 2, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પોરબંદરના એરપોર્ટથી દ્વારકા જવા રવાના પણ થયા હતા. દ્વારકા ખાતે ખેડૂતોને ગેરેન્ટી આપશે. માછીમારો સાથે પણ મુલાકાત કરશે. ખેડૂતો કરજામાં દબાયા અને પોષણક્ષમ ભાવ નહિ મળતા હોવાના આક્ષેપ. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે કેજરીવાલે કહ્યું ડબલ એનજીનવાળી સરકારમાં બધું બંધ અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.
ગુજરાતના અન્નદાતાઓ માટે અરવિંદ કેજરીવાલની ગેરંટી #LIVE https://t.co/Cc4RccT09s
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 2, 2022
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ ચૂંટણી પૂર્વે વધુ ગેરંટીની જાહેર કરશે. ગુરુવારે એક નિવેદનમાં, AAPએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, કેજરીવાલ ગુજરાતના લોકો માટે "મોટી પ્રી-પોલ ગેરંટી" જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
"ગુજરાતમાં મહિલા સન્માન રાશિ, વીજળી, રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે ગેરંટી બાદ આજ રોજ ખેડૂતો માટે ગેરંટી જાહેર કરવામાં આવશે." - @ArvindKejriwal pic.twitter.com/M03xZAePST
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 2, 2022
સીએમ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે
કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી' જાહેર કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, રૂ. 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે 1,000નું ભથ્થું સામેલ છે.
કેજરીવાલે આ દાવો કર્યો છે
PM મોદીએ "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યુંઃ
કેજરીવાલે દાવો કર્યો કે, "CBIએ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, તેમના ગામમાં ગયા અને તેમના બેંક લોકરની તલાશી લીધી. સીબીઆઈના લોકો કહે છે કે તેઓને સિસોદિયા સામે કંઈ મળ્યું નથી, પરંતુ તેઓ તેમની ધરપકડ કરવા માટે દબાણ હેઠળ છે," તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રીતે અમને "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યું છે.
દેવભૂમિ દ્વારકાથી બે દિવસની યાત્રાનો પ્રારંભ કરશે
નિવેદનમાં જણાવાયું છે કે, AAP નેતા દ્વારકા શહેરમાં એક સભાને સંબોધિત કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરશે, જે દરમિયાન તેઓ નવી ચૂંટણી પૂર્વ ગેરંટી જાહેર કરશે. સભાને સંબોધિત કર્યા બાદ કેજરીવાલ દ્વારકા શહેરના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરશે. શનિવારે તેઓ સરપંચોની બેઠકમાં હાજરી આપવા સુરેન્દ્રનગર શહેરમાં આવશે. કેજરીવાલે છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત ગુજરાતની મુલાકાત લીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)