શોધખોળ કરો

ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલોના નર્સ સ્ટાફનું માસિક ભથ્થુ 1700 રૂપિયા વધાર્યું, ૧૮૦૦૦થી વધુ નર્સને ફાયદો

રાજ્ય સરકારે મોટા ભાગની માંગણીઓ સ્વીકારી છે.

અનેક રજૂઆતો અને હડતાળો બાદ અંતે રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી નર્સ સ્ટાફના વિવિધ પ્રકારના એલાઉંસમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. યુનિફોર્મ એલાઉંસ, નર્સિંગ એલાઉંસ, વોશિંગ એલાઉંસમાં સરકારે વધારો કરતા રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેંદ્રમાં ફરજ બજાવતા 18 હજારથી વધુ નર્સિંગ સ્ટાફને માસિક 1700 રૂપિયાનો ફાયદો થશે.

રાજ્ય સરકારે મોટા ભાગની માંગણીઓ સ્વીકારી છે. રાજ્યના આરોગ્ય વિભાગે કરેલા ઠરાવ મુજબ રાજ્યા નર્સિંગ સ્ટાફને માસિક 135 ટકાના વધારા સાથે એકંદરે 1700 રૂપિયા એલાઉંસ વધાર્યું છે.  આ એલાઉંસ વધારાનો લાભ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેંદ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો તથા જિલ્લા પંચાયત હસ્તકની હોસ્પિટલો, દવાખાનામાં ફરજ બજાવતા 18 હજારથી વધુ નર્સિંગ સ્ટાફને મળશે.

સરકાર દ્વારા ઠરાવ પસાર કરીને જણાવવામાં આવ્યું છે કે નર્સિંગ કર્મચારીઓને દર મહિને નર્સિંગ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતાં 600 રૂપિયાથી વધારીને 1400 રૂપિયા કર્યા, યુનિફોર્મ એલાઉન્સ પેટે ચૂકવવામાં આવતાં 490 રૂપિયા વધારીને હવે 1100 રૂપિયા કર્યા અને વોશિંગ એલાઉન્સ પેટે ચૂકવવામા આવતાં 210 રૂપિયા વધારીને 500 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નર્સિંગ સ્ટાફ દ્વારા બીએસસી નર્સિંગની વિદ્યાર્થિનીઓને અન્ય મેડિકલ સ્ટુડન્ટની જેમ ઈન્ટર્નશિપમાં વધારાની અને સરકારી નર્સિંગ સ્ટાફને અન્ય મેડિકલ સ્ટાફની જેમ ગ્રેડ પેમાં વધારો કરવાની પણ માંગ કરાઈ હતી ત્યારે સરકારે હાલ આ માંગણીઓ બાબતે કોઈ ઠરાવ કર્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વખતે નર્સિંગ સ્ટાફે રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ નીભાવી હતી પરંતુ જ્યારે તેમને ન્યાય આપવાની વાત કરવામાં આવી એટલે સરકાર પાણીમાં બેસી ગઈ હતી. ભથ્થામાં વધારો કરવાની તેમની માંગના પ્રશ્ર્નને અધ્ધરતાલ જ રાખવામાં આવ્યો હતો જેથી સ્ટાફે હડતાલ પણ પાડી હતી. પ્રથમ વખત હડતાલ પાડ્યા બાદ સરકારનું ધ્યાન તેના ઉપર ગયું નહોતું તેથી બીજી વખત હડતાલ પાડવામાં આવી હતી અને ત્યારપછી સરકારે સફાળી જાગી નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મેરેથોન બેઠક કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget