શોધખોળ કરો

'ચોમાસામાં રૉડ-રસ્તાં તુટે એ સામાન્ય બાબત છે, તેને ચગાવવી ના જોઇએ' કહીને કયા મંત્રી રસ્તા રિપેર કરવાની જવાબદારીમાંથી છટકી ગયા, જાણો વિગતે

ચોમાસામાં રૉડ-રસ્તાં તુટી જવાને લઇને ભૂપેન્દ્ર સરકારના મંત્રીએ જાહેરમાં નિવેદન આપ્યુ છે કે ચોમાસામાં રૉડ-રસ્તાં તુટવા એ સામાન્યા ઘટના છે.

સુરતઃ ગુજરાતમાં સરકારના મંત્રીનુ ફરી એકવાર વિવાદાસ્પદ અને વિચિત્ર નિવેદન સામે આવ્યુ છે. ચોમાસામાં રૉડ-રસ્તાં તુટી જવાને લઇને ભૂપેન્દ્ર સરકારના મંત્રીએ જાહેરમાં નિવેદન આપ્યુ છે કે ચોમાસામાં રૉડ-રસ્તાં તુટવા એ સામાન્યા ઘટના છે. આને વધારે પડતુ ચગાવવુ જોઇએ નહીં. 

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા નિમાયેલા માર્ગ અને મકાન વિભાગ મંત્રાલયના મંત્રી પૂર્ણેશ મોદીએ ફરી એકવાર સરકારની કામચોરી કરવાની નીતિને ઉજાગર કરી છે. સુરતમાં કેબિનેટ કક્ષાના મંત્રી પૂર્ણેશ મોદીએ મીડિયાને સૂચન કરતાં કહ્યું કે, ચોમાસામાં રૉડ-રસ્તા તુટવાની ઘટના સામાન્ય બાબત છે, ડામરને પાણી સાથે વેર હોવાથી રસ્તાંઓ તુટી જાય છે, આ વાતને વધારે પડતી ચગાવવી જોઇએ નહીં. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં રૉડ-રસ્તાં તુટી ગયા છે, ભારે વરસાદના કારણે જામનગર સહિતના જિલ્લાઓમાં રસ્તાંઓ તુટી ગયા છે જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને મોટી અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે સરકારના જવાબદાર મંત્રીએ આ બાબતને સામાન્ય ગણાવી દીધી છે. 

માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીના વચનો ક્યારે થશે પૂર્ણ?
માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ 10 ઓક્ટોબર સુધી રસ્તાઓ રીપેર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે તારીખ પણ જતી રહી અને હવે દિવાળી પણ આવશે. તેમ છતાં રસ્તાઓનું કામ અધૂરું છે. ઠેર-ઠેર ખાડા જોવા મળી રહયા છે. હવે લાગી રહ્યું છે કે મંત્રી દ્વારા આપવામાં આવેલા વચનોથી તેઓ પીછેહઠ કરી રહ્યાં છે. 


ચોમાસામાં રૉડ-રસ્તાં તુટે એ સામાન્ય બાબત છે, તેને ચગાવવી ના જોઇએ' કહીને કયા મંત્રી રસ્તા રિપેર કરવાની જવાબદારીમાંથી છટકી ગયા, જાણો વિગતે

કોણ છે પૂર્ણેશ મોદી
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલમાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા, તેઓ 55 વર્ષના છે. વકિલાતની ડીગ્રી પણ ધરાવે છે.

બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે
શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ જ સુરત કોર્ટમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ મોદી સમાજ વિશે વિવાદીત ટિપ્પણી કરવામાં આવી હતી, તેમાં પણ તેઓ ફરિયાદી છે.

હવે ગુજરાત સરકારના મંત્રીઓ ઇલેક્ટ્રીક કારમાં કરશે પ્રવાસ? જાણો વાહન વ્યવહાર મંત્રીએ શું કહ્યું?
સુરત : ઇલોકટ્રોનિક વહાનને લઈને ગુજરાત સરકારના મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નિવેદન આપ્યું છે કે, મંત્રીઓ પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં લોકોને પ્રેરિત કરવા મંત્રીઓથી શરૂ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget