શોધખોળ કરો

અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં ધોધમાર વરસાદ, લાંબા સમય બાદ વરસાદથી ખેડૂતો ખુશ

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ છે. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. રાજુલા તેમજ હિંડોરણા,છતડીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાને પગલે  રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ખાંભાના નાના બારમણ ગામે પણ વરસાદ પડ્યો છે. જાફરાબાદના લોર,ફાચરિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 


બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર છે.  છેલ્લા ચાર વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદને લઈને ભૂગર્ભજળની પણ મોટી સમસ્યાઓ સર્જાઈ છે.  આ વર્ષે ખૂબ સારા વરસાદની આશા એ ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું પરંતુ ચોમાસાની શરૂઆત થયા દોઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં માત્ર ૨૫ ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે.  હવામાન વિભાગની આગાહી પણ આ વર્ષે ઠગારી નીવડી હોય તેવું જોવા મળ્યું છે. લાખણી અને થરાદ પંથકમાં સૌથી ઓછો એટલે ૭થી ૧૦ ટકા જ વરસાદ વરસ્યો છે.  જો ગત વર્ષે વાવેતર ની વાત કરવામાં આવે તો જિલ્લામાં 544606 હેક્ટરમાં વાવતરે થયું હતું પરંતુ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 494597 હેક્ટરમાં માં જ વાવેતર થયું છે. 

મુખ્યમંત્રી રૂપાણીનો ખેડૂતોને સિંચાઇના પાણી મુદ્દે મોટો નિર્ણય, સિંચાઇ માટે છોડાશે પાણી, કેટલું પાણી છોડાશે?

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી નિર્ણયથી ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે. પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય લેવાયો છે. 


ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું છે. 


જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
 
તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૪૧ પૈકી ૩૬ ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના ૭૯ ડેમોમાંથી ૧,૪૮,૨૦૦ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં ર૩ ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે.  જેમાં જામનગર જિલ્લાના ઉંડ-૧, સસોઇ, પન્ના, આજી-૪, ફૂલઝર-૧, ફૂલઝર-ર, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ ૧૩ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે  


જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-ર, આજી-૩ અને ન્યારી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે.  મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૧, ડેમી-૧ ઘોડાધ્રોઇ અને ડેમી-ર ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મતદાન પહેલા જ નવસારીમાં ભાજપનો સપાટો: 60 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા
મતદાન પહેલા જ નવસારીમાં ભાજપનો સપાટો: 60 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા
Gujarat local body elections Live: વડોદરામાં સરકારી કચેરી બની રાજકીય અખાડો, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Gujarat local body elections Live: વડોદરામાં સરકારી કચેરી બની રાજકીય અખાડો, પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...
ગુજરાત કોંગ્રેસમાં ફફડાટ: ઉમેદવારો તૂટવાના ડરથી શરૂ કર્યું 'મિશન અજ્ઞાત', ઉમેદવારોને રાજસ્થાન...
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી માવઠું શું ધબધબાટી બોલાવશે? આ તારીખે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?
Gujarat Local Body Election 2026 : સુરતના કામરેજમાં ભાજપ ઉમેદવારે કેમ ફોર્મ ખેંચ્યું પરત
Shailesh Mehta : ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ટપલીદાવ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ, ભાગ-2
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?
Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
અમેરિકાની 'ચિઠ્ઠી' લઈને પાકિસ્તાની જનરલ પહોંચ્યા ઈરાન! શું યુદ્ધના નગારા વાગતા અટકશે?
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?
સોના ચાંદીના ભાવે તો ભુક્કા કાઢ્યા! એક જ દિવસમાં ચાંદી ₹11,800 મોંઘી, જાણો 10 ગ્રામ સોનું કેટલું મોંઘું થયું?
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
શું BCCI ગૌતમ ગંભીરને હેડ કોચ પદેથી હટાવી દેશે? મુનાફ પટેલે કહ્યું- ‘જો તેને હટાવશો તો ટીમ વિખેરાઈ...’
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
20 લાખ બેરલ તેલ લઈને આવેલું ઈરાની જહાજ ગુજરાત પહોંચ્યું, પણ ભારતે કેમ પાછું કાઢ્યું?
Embed widget