શોધખોળ કરો
Advertisement
પોરબંદરના આ ગામમાં વીજળી પડતાં મકાન થયું ધરાશાઈ, જાણો વિગત
ફટાણા ગામે વીજળી પડતા મકાન ધરાશાઈ થયું હતું. જોકે, મકાનમાં કોઈ રહેતું ના હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પોરબંદરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામે વીજળી પડતા મકાન ધરાશાઈ થયું હતું. જોકે, મકાનમાં કોઈ રહેતું ના હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પોરબંદર શહેર માં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. કોળીવાડ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ વિસ્તારમાં પણ અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી ને નુકાશાન થયું હતું. રાત્રીના સમયે વરસાદી પાણી ઘરમાં ઘુસવા લાગ્યા હતા, જેને કારણે આખી રાત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગર પાલિકા નિષ્ફળ રહેતા આ સ્થિતિ સર્જાઇ હતી. પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion